________________
ઉપચ ઉપરાંત, સ્વાભાવિક રીતે જ તે રાજ્યની આત્મસંરક્ષણ, સ્વાર્થ, વફાદારી, આભાર અને એવી એવી મનુષ્યસ્વભાવમાં રહેલી બધી લાગણીઓ પોતાને જન્મ આપનાર વડી સત્તાના પક્ષમાં જ રહે છે. તે બધાં રાજ્યમાં સારાં પરિણામ લાવવાની બાબતમાં સરસાઈ ચાલે છે; અને વડી સત્તાની નજર હેઠળ જ બધા પ્રયોગે થતા હોય એટલે ગેરવ્યવસ્થા થવાને પણ સંભવ રહેતો નથી.
મારા કહેવાને બે અર્થ ન થાઓ. હું દેશી રાજ્યો શબ્દ વાપરું છું તેથી કરીને એક ક્ષણ પણ એમ કહેવા નથી માગતો કે, હું જૂની વંશપરંપરાવાળી રાજાઓની સત્તા પાછી લાવવા માગું છું. અત્યારે ઇંગ્લંડમાં જે રીતે રાજતંત્ર ચાલે છે, તે રીતે જ બધાં રાજ્યોમાં તંત્ર અને વહીવટની પુનર્ઘટના થવી જોઈએ. ફેર માત્ર એટલે જ કે, એ બધું દેશી લોકોને હાથે. દેશની જરૂરિયાતને અનુસરીને થવું જોઈએ. આ બધાં રાજ્યમાં, વડી સરકાર યોગ્ય લાગે તે રીતે એક સારામાં સારે માણસ પસંદ કરીને આખા તંત્રને માથે મૂકે; અને તે માણસ કે વડે ચૂંટાયેલી સભાની મદદથી આખું તંત્ર સંભાળે. ઉપરાંત અત્યારે દેશી રાજ્યોમાં જેમ અંગ્રેજ રેસીડંટ રહે છે, તેમ સરકાર પિતાનો એક રેસીડંટ પણ રાખે; તથા શરૂઆતમાં જરા પણ જોખમને -સંભવ ન રહે તે માટે રેસીડેટને બદલે વડા પ્રધાનની
અત્યારના પ્રચલિત “પ્રાંતિક સ્વરાજ્ય' શબ્દ માટે જ લેખક “દેશી રાજ્ય’ શબ્દ વાપરતા લાગે છે.–સંપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org