________________
પ્રાસ્તાવિક એ મેાલ
૧
‘થ્રી મસ્કેટિયર્સ’ નવલકથાના આ ચોથા ભાગનું નામ ‘પ્રેમ-પંક’ રાખેલું છે. સહેજે પ્રશ્ન થાય કે, એક રીતે માનવીની ઉત્તમ કહી શકાય તેવી લાગણી કે વૃત્તિને ‘કાદવ’ શબ્દ સાથે શું કામ સાંકળવી જોઈએ ?
પરંતુ માનવીએ જ એ બાબતમાં પૂરતા અનુભવ કરી, એ સમાસ નથી યોજ્યા ? અલબત્ત, વસ્તુતાએ સાહિત્ય કે કાવ્યમાત્ર, પ્રેમની સરાહના – સ્તુતિ અર્થે જ હોય છે. પરંતુ માનવનું ઉત્તમમાં ઉત્તમ મનાતું કે ગણાતું સાહિત્ય કે કાવ્ય પણ પ્રેમના પરિણામે અચૂક પ્રાપ્ત થતાં શેક-ઉદ્વેગના નિરૂપણરૂપે હોય છે, એ વાત પણ સ્વીકારવી રહી !
તે માનવજીવનમાં રંગ પૂરનારી – અરે તેની પ્રવૃત્તિના મૂળ સ્રોત રૂપ આ લાગણી કેમ એકીસાથે આકર્ષક તેમ જ આઘાતક છે? બીજી રીતે આ પ્રશ્ન પૂછીએ, તો જે સ્ત્રી માતૃરૂપે – ભગિનીરૂપે – પુત્રીરૂપે આત્મબલિદાન અને સેવાને મંગળ પ્રવાહ વહાવી પુરુષને ધન્ય કરી મૂકે છે, તે જ સ્ત્રી મેાહિની-કામિની-રમણીરૂપે કેમ આટલા ઉત્પાત કે અધ:પાત સરજાવે છે? સ્ત્રીનું મંગળા રૂપ સાચું છે કે, માહિની રૂપ ?
પણ એ સવાલ ખોટી રીતે ઉપાડયો ન કહેવાય ? જગતની પ્રબળમાં પ્રબળ વિદ્યુત્-શક્તિ ધન અને ઋણ એ બે છેડા વચ્ચે ખેંચાણ ઊભું કરીને જ કારગત બને છે. એ શક્તિ જ્યાં એવું ‘ટેન્શન’ કે આકર્ષણ નથી ઊભું કરી શકતી, ત્યાં એ ક્રિયાશીલ કે અસરકારક પણ નથી બનતી. એટલે સ્ત્રી પણ જગતમાં મંગળા શક્તિરૂપે કામ કરવાની હાય તા પણ તે આ રીતે આકર્ષણ-ખેંચાણ અર્થાત્ ‘ટેન્શન’ ઊભું કરીને જ કરી શકે.
અને દરેક મંથન-ક્રિયામાંથી છેવટે હળાહળ ઝેર પણ ઉત્પન્ન થાય કે પછી જીવનદાયી અમૃત ! તેમજ સ્ત્રી-પુરુષ વચ્ચેના આ ‘ટેન્શન ’માંથી
૪
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org