________________
રાજાજીની મુલાકાત
૨૭૩ પણ પોર્જેસ વચ્ચે બોલી ઊઠયો, “હાં, હાં, ઠીક યાદ આવ્યું. ઍમીસ, તમારે માટે બેઇઝમેએ કંઈક કાગળ મોકલ્યો છે.”
એરેમીસે તરત તે કાગળ લઈ વાંચ્ય; દાન એ કાગળમાંની હકીકત જાણતો જ હતો એટલે સ્વસ્થપણે ઊભો રહ્યો. પણ એમીસે એના કરતાંય વધુ સ્વસ્થતા દાખવીને કાગળ વાંચી ગજવામાં મૂક્યો, અને દાનને કહ્યું –
“તમે શું કહેતા હતા કેપ્ટન?”
હું એ કહેતો હતો કે, રાજાજીના કામકાજ અંગે હું બેઈઝમને મળવા ગયો હતો. સહેજે તમારી અને તમારા મિત્રો વિષે વાત નીકળી; તો મને જણાવ્યું કે, બેઇઝ મારી સાથે કંઈક ટાઢાશ દાખવી રહ્યો છે. એટલે હું તો ત્યાંથી ચાલતો થયો; પરંતુ રસ્તામાં એક સૈનિક મને મળ્યો તે પૂછવા લાગ્યો, ‘મહેરબાન આ પરબીડિયા ઉપરનું સરનામું વાંચી આપશો?’ મેં વાંચી આપ્યું તો ઉપર લખેલું, ‘મોંશ્યોર દુ વાલ, મોંશ્યોર ફુકેને ત્યાં, સેં-માંદે.' તે ઉપરથી મને ખબર પડી ગઈ કે, પૉર્થોમૈયા બેલ-ઇલ કે પિયેરફાંદ નથી ચાલ્યા ગયા, પણ સેં-માંદેમાં મૉ૦ ફુકેને ત્યાં જ છે. પણ મોં૦ ફુકે તે સેં-માંદેમાં છે નહિ, એટલે પૉર્જેસભાઈ કાંતો એકલા પડી ગયા હશે કે કદાચ ઍમીસ સાથે હશે. એટલે આપણે તરત ચાલ્યા પોર્યોસને મળવા!”
“ઘણું સારું કર્યું,” એરેમીસે વિચારમાં પડી જઈ કહ્યું; “અને પછી તમે પૉર્થોસને ફતેબ્લો સાથે લેતા આવ્યા કેમ?”
“હા, પ્લાંતને ઘેર જ ઊતર્યા છીએ.” શું પ્લાંશેત ફતેબ્લોમાં રહે છે?” હા, સ્મશાન નજીક.” “સ્મશાન નજીક' એટલે?”
“અરે પ્લાંશેત બેટાના જીવન વિશેના ખ્યાલો વિચિત્ર છે, તેને કોઈ કોઈ વાર સ્મશાન તરફ જોઈ રહેવાથી ભારે પ્રેરણા મળે છે. એટલે આજે જ સવારે—” પૉર્ટોસે જવાબ આપ્યો. છે-૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org