________________
મહાવીર સ્વામીના અંતિમ ઉપદેશ પછી, આસન, શયન, વાહન, ધન અને બીજા કામે ભોગવીને, દુષ્પાપ ધનને પાછળ મૂકીને, તથા ઘણું પાપ ભેગું કરીને, આ દશ્યમાન જગતમાં જ માનનાર તથા કર્મોથી ભારે થયેલે તે પ્રાણી, અતિથિ આવ્ય શેક કરતા ઘેટાની પેઠે, મૃત્યુ સમયે શોક કરે છે. ત્યારબાદ, આયુષ્યનો ક્ષય થયે દેહથી વ્યુત થયેલે તે, પરવશ બની, અંધારી, આસુરી દિશામાં જાય છે, તથા આપત્તિ અને વધ જેમાં મુખ્ય છે એવી નરકની અને તિર્યંચ (પશુપંખી ઇ.) ની અધમ યોનિ પામે છે. એક વાર એ દુર્ગતિમાં ગયા પછી તેમાંથી બહાર આવવું ઘણા લાંબા કાળ સુધી અશક્ય હોય છે. [૮-૧૦, ૧૭-૮]
તે મૂઢ મનુષ્યો કોડી સાટે હજાર રૂપિયા ગુમાવનાર મૃખર
૧. તે યોનિઓની કાળમર્યાદા છે. માટે જુઓ આગળ અધ્ય. ૩૬, પા. ૨૬૪ ઈ.
૨. ટીકાકાર એવી વાત ટાંકે છે કે, એક જણ હજાર રૂપિયા કમાઈ, પિતાને દેશ પાછો ફર્યો. રસ્તામાં તેને એક સંધનો સાથ મળી ગયે. તેણે પોતાના હજાર રૂપિયામાંથી એક રૂપિયો વટાવી કોડીઓ લીધી અને તેટલા વડે જ મુસાફરી પૂરી કરવી એવું નક્કી હ્યું. પરંતુ, એક વખત તે રસ્તામાં જયાં ખાવા બેઠેા હતો, ત્યાં એક કડી ભૂલી ગયા. થોડે દૂર ગયા બાદ બીજો પડાવ નાખે ત્યારે તે વાતની તેને ખબર પડી. તેણે વિચાર્યું કે, એ એક કેડી માટે બીજે રૂપિયા વટાવવો પડશે; માટે બધા રૂપિયા એક ઠેકાણે દાટી દઈ, જલદી જલદી પેલી કોડી લઈ આવું. તે રૂપિયા દાટતો હતો તેટલામાં કોઈએ તેને યો; એટલે તેણે તે રૂપિયા તેની ગેરહાજરીમાં ત્યાંથી કાઢી લીધા. પગે પણ પેલી કોડી કોઈએ ઉપાડી લીધેલી. આમ તેનાં કેડી અને રૂપિયા બંને ગયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org