SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭: ૨૮ : મેક્ષગતિને માગ છે કે, તેમાં દર્શનમોહનીયનું બળ ગયા છતાં, ચારિત્રહનીચની સત્તા સવિશેષ હોવાથી વિરતિ ( ત્યાગવૃત્તિ) ઉદય નથી પામતી. ૫. જે અવસ્થામાં રુચિ ઉપરાંત અલ્પાંશે પણ વિરાતિ (ત્યાગવૃત્તિ) ઉત્પન્ન થાય છે, તે “દેશવિરતિ.” ૬. જેમાં ત્યાગવૃત્તિ પૂર્ણ ઉદય પામવા છતાં વચ્ચે વચ્ચે પ્રમાદ – ખલન સંભવે છે, તે “પ્રમત્ત સંયત.” ૭ જેમાં પ્રમાદનો સહેજે સંભવ નથી, તે “અપ્રમત્ત સંયત.” ૮. જેમાં પૂર્વે કદી નહિ અનુભવેલો આત્મશુદ્ધિને અનુભવ થાય છે અને અપૂર્વ વિદ્યાસ– આત્મિક સામર્થ્ય -- પ્રગટે છે, તે “અપૂર્વ કરણ”. ૯. જેમાં ચારિત્રમોહનીય કર્મના શેષ રહેલા અંશને શમાવવાનું કે ક્ષીણું કરવાનું કામ ચાલતું હોય છે, તે “અનિવૃત્તિ બાદ૨.” ૧૦જેમાં મોહિનીચનો અંશ લોભરૂપે જ ઉદયમાન હોય છે, પણ બહુ સૂમ પ્રમાણમાં, તે “સૂમસં૫રાય.” ૧૧. જેમાં રકમ લોભ સુધ્ધાં શમી જાય છે, તે “ઉપશાંતમેહનીય. આ ગુણસ્થાનમાં દર્શનાહનીચને સર્વથા ક્ષય સંભવે ખરો, પણ ચારિત્રમોહનીયને તેવો ક્ષય નથી હોતો; માત્ર તેની સર્વાશે ઉપશાંતિ હોય છે. આને લીધે જ મેહનો ફરી ઉઢેક થતાં આ ગુણસ્થાનથી અવશ્ય પતન થાય છે અને પ્રથમ ગુણસ્થાન સુધી પાછા જવું પડે છે. ૧૨. જેમાં દર્શનાહનીચ અને ચારિત્રમેહનીચનો સર્વથા ક્ષય, થઈ જાય છે, તે “ક્ષીણમોહનીય.” અહીથી પતન સંભવી શકતું નથી. ૧૩. જેમાં મેહના આત્યંતિક અભાવને લીધે વીતરાગદશા પ્રગટવા સાથે સર્વ પણું પ્રાપ્ત થાય છે, તે “સગગુણસ્થાન.” આ સ્થાનમાં શારીરિક-માનસિક-વાચિક વ્યાપાર હોય છે. તેને જીવન્મુક્તિ કહી શકાય. ૧૪. જેમાં શારીરિક-માનસિક-વાચિક પ્રવૃત્તિને પણ અભાવ થઈ જાય છે, તે “અયોગગુણસ્થાન.” શરીરપાત થતાં જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy