SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ મહાવીરસ્વામીને અતિમ ઉપદેશ પાળવા સહેલેા હતા; અને છેવટના મુનિએ વ±જડ હતા તેથી તેમને ધર્મ સમજવા સહેશે। હતા, પરંતુ પાળવા મુશ્કેલ હતા. તેથી તે અનેને પાંચ મહાવ્રતા સ્પષ્ટ દર્શાવવાં પડયાં. પરંતુ, વચગાળાના મુનિએ સરળ તેમજ બુદ્ધિમાન હતા. (તેથી તેમને બ્રહ્મચર્ય વ્રત સ્પષ્ટ દુ ન પાડતાં ચાર વ્રતે કહ્યાં.) [૨૫-૭] કેશીએ એ જવાબથી સંતુષ્ટ થઈ, વસ્ત્ર પહેરવા ન પહેરવા બાબતના તે એના વિધાનમાં તફાવત પડવાનું કારણ પૂછ્યું. એટલે ગૌતમે કહ્યું, ‘ પેાતાના વિશિષ્ટ જ્ઞાન વડે (જુદા જુદા સાધુએને અધિકાર) સમજીને અને તીર્થંકરાએ ધર્મનાં જુદાં જુદાં સાધન ફરમાવ્યાં છે. પારમાર્થિકર રીતે તા જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ જ મેાક્ષનાં સાચાં ૧. ‘શરૂઆતના' એટલે પ્રથમ તીર્થંકરના વખતના; ‘છેવટના’ એટલે ૨૪મા તી``કર મહાવીરના વખતના; વચગાળાના એટલે બાકીના ૨૨ તી કરના સમયના. ૨. મૂળમાં ‘નિશ્ચયે શબ્દ છે. એક જ વસ્તુને લગતી જુદી જુદી વિચારસરણી ‘નચ' કહેવાય છે, તેના વ્યવહારનય અને નિશ્ચયનય એવા ભેદ છે. વ્યવહારનય એટલે સ્થૂલગામી અને ઉપચારપ્રધાન વિચાર; તથા નિશ્ચયનય એટલે સૂક્ષ્મગામી અને તત્ત્વપશી વિચાર. વધુ માટે જુઓ પા. ૧૭૪, કિં૦ ૮. ૩. એ ત્રણને જન પિરભાષામાં રત્નત્રય ’ કહે છે. તત્ત્વના ચથા વિવેકની અભિરુચિ તે ‘દર્શન'; પ્રમાણ વગેરેથી તત્ત્વાનું ચા જ્ઞાન તે ‘જ્ઞાન'; અને જ્ઞાનપૂર્વક રાગદ્વેષાદિની નિવૃત્તિ થવાથી સ્વરૂપરણુ તે ‘ચારિત્ર’. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy