________________
કાકાસેલની મુલાકાતે
૧૭૭ આવવા માટે વારંવાર પત્ર લખ્યા કરતું હતું. છેલ્લા પત્રના આમંત્રણને સ્વીકાર કરતો આભારદર્શક જવાબ ફૉરન્સ અત્યારે લખવા બેઠી હતી, અને સુસાન પાસે ઊભી ઊભી, એ બાબતમાં માથું હલાવી ગુપચુપ સંમતિ દર્શાવી રહી હતી.
એ લોકેએ ફરીથી નિમંત્રણ મોકલ્યું, એ એમની સજજનતા કહેવાય.” ફર્લોરસે જવાબ પૂરો કરી બીડતાં બીડતાં કહ્યું.
પણ સુસાન નિપર દુનિયાની સજજનતાથી વધુ પરિચિત હતી. તેણે જવાબમાં એટલું જ કહ્યું, “એ લકે શા માટે આગ્રહ કરીને વારંવાર તમને તેડ્યા કરે છે, એ જાણે હું ન સમજતી હોઉં, તો ને ?”
મને ત્યાં જવાની ખાસ મરજી થતી નથી, પરંતુ તેમનું નિમંત્રણ વારંવાર પાછું ઠેલવું પણ સારું નહિ, ખરું ને ?”
ના જ ઠેલવું જોઈએ, વળી! ખાસ કરીને એવા સંજ્ઞનું !” સુસાને ફરી એ શબ્દ ઉપર ભાર મૂકયો.
ડી વાર ચૂપ રહ્યા બાદ ફૉરન્સ બોલી ઊઠી, “ટરના કશા સમાચાર મળે બહુ વખત થઈ ગયો, ખરુંને, સુસાન?
ઘણો જ વખત થઈ ગયો વળી, મિસ ફલેય; અને પેલે પ-ડે હમણું આવ્યો હતો, તે કેવીય વાત કરતો હતો; પાછો એ બહુ જાણે ખરો ને ?”
શી વાતો કરતો હતો ?” ફરસે ઉત્સુક થઈને પૂછયું, અને એ વખતે તેના મોં ઉપર થઈને શરમની એક આભા પસાર થઈ ગઈ.
અરે ભાયડા-જાતની શરમરૂપ એ પર્ચ-ડા કરતાં તો હું વધારે બહાદુર છું; હું એમ ઝટ પિચકાં નાખી બેસું નહિ.”
“શી વાતનાં પિચકાં ?”ફરન્સ હવે ગભરાઈને બેલી ઊઠી.
જુઓને, એ નાલાયક માણસ, કેવા કેવા વિચાર કરે છે ?”
“તો શું તે એમ માને છે તે, વેટરવાળું વહાણ ખરેખર ડૂબી ગયું છે?”
ડે-૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org