________________
સર્વોદયની જીવનકળા આપણું પેઢીએ જે સત્ય શીખવાનાં છે, તેમાં આના જેવું જરૂરી બીજું કોઈ નથી. હું તો નાગરિકની કેળવણમાં તેને પાયારૂપ વસ્તુ બનાવું. દરેક નાગરિકના દિલમાં પૂરેપૂરું વસવું જોઈએ કે, સમાજના સહિયારા દુઃખકષ્ટમાં ભાગ લેવાની જેટલી તત્પરતા તે બતાવે, એટલે જ તેને સમાજના સહિયારા સુખમાં ભાગ મેળવવાને હક પ્રાપ્ત થાય છે. આપણી કુશિક્ષિત લોકશાહીઓના દિલમાં આ હજી નથી વસ્યું. પરંતુ બીજી કઈ રીતે માનવ સહકાર શક્ય નથી. સુખ અને દુઃખના પ્રશ્નો ત્યારે જ પોતાની મર્યાદામાં ગોઠવાશે. જે વ્યવસ્થામાં દરેક જણને પિતાના પાડોશીઓના નફામાંથી હિસ્સો મેળવવાનો હક છે, પણ પાડોશીનાં નુકસાન તે પાડોશીએ પોતાની અંગત શિક્ષા કે શિક્ષણરૂપે વેઠી લેવાનાં હોય છે, એટલે કે, જ્યાં સુખે સહિયારાં છે, પણ દુઃખે પતીકાં છે, એ વ્યવસ્થાને સહકારમૂલક માનવસંઘની ભાવનાથી પ્રેરિત થયેલી ભાગ્યે જ કહી શકાય. છતાં દેખાય છે તો તે જ લોકમાન્ય. ભાષણ કહે છેઃ “મારી યોજના એવી છે કે, તેમાં તમને લાભ જ લાભ થશે, અને હાનિ થશે તે તે માત્ર તમારાં દુઃખની જ. તમારા મતપત્રો મારી મતપેટીમાં નાખે, અને એ બધું થઈ જશે ” બહુ આકર્ષક પ્રસ્તાવ છે, પણ નરી વાજાળ છે. આ દાખલા મેં કંઈ કલ્પનામાંથી નથી ઉપજાવી કાઢયો; તેને એક તાજા રાજકીય ભાષણમાંથી જ ઉતાર્યો છે. પણ તેની સાથે નીચેનું સરખાવે –
એક શહેર સપાટ પ્રદેશમાં બાંધવામાં આવ્યું છે અને તે સૌ સારાં વાનાંથી ભરપૂર છે.
“પરંતુ તેમાં પિસવાને દરવાજો બહુ સાંકડે છે, તથા પડી જવાય તેવી ભયભરેલી જગામાં મૂકવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org