SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ २ સર્વોદયની જીવનકળ પડતી વીરતામાંથી જ સમાજનું નૈતિક જીવન પોતાની જીવનશક્તિ મેળવે છે અને પિતાનું પિોતાપણું દાખવે છે. આ રીતે વિચારતાં એવું તે ન જ માની શકાય કે, એકવાર સંસ્કૃતિનું સંગઠન સાધી લીધું એટલે પછીથી માનવ જાતિની બાકીની યાત્રા સહેલી બની જશે, તથા ત્યાર પછી તેને ઈતિહાસ શ્રમ અને સંગ્રામ તથા દુઃખ અને આફતમાંથી મુક્તિના એક સુખી તથા જગદ્રવ્યાપી રજાના દિવસની નેંધ જે જ બની જશે. વસ્તુતાએ તો એક – સંગઠિત બનેલી સંસ્કૃતિમાં આરામ તથા તેની સાથે આવતા મનાતા “સુખ' માટેની શોધનો ત્યાગ કરી દેવામાં આવ્યું હશે. કારણ કે, આરામ અને સુખની બીજી ગમે તે કિંમત હોય, પણ તેઓ મનુષ્ય-જીવનમાં સંગઠન કે એકરાગ સ્થાપનારી વસ્તુઓ તે નથી જ. કામનાના વિષય તરીકે તેઓ વિખવાદ ઊભે. કરનારાં સતેજ કારણે છે. અને એમ માની શકાય કે, કોઈ નિર્બળ, હતવીર્ય સમાજ પોતાની રહીસહી શક્તિ એ બે સુખદ વસ્તુઓના ઉત્પાદન પાછળ ખરચે; પરંતુ તેમની વહેંચણીને પ્રશ્ન આવતાં જ તેમાં અચૂક વિખવાદ જાગવાનો. આપણુ પાસે આપણા પોતાના કે આપણા પાડોશીના સુખનું ચેકસ મૂલ્ય આંકવાનાં કાઈ સાધન નથી; અને તેથી તેને અને આપણે હિસ્સો પ્રમાણમાં “બરાબર છે કે નહીં, તે નક્કી કરવાનું કાંઈ સાધન નથી. ખરું જોતાં આખી સંસ્કૃતિને સંગઠિત કે એકરાગ કરનાર વસ્તુ જોઈતી હોય, તો તે સમાનપણે સુખ ભેગવવા કરતાં સમાનપણે દુઃખ ભેગવવું એ આપણા હેતુને વધુ સિદ્ધ કરનાર નીવડે. કારણ કે, સુખ તે મનુષ્યસ્વભાવમાં જે કાંઈ નિર્બળ અને અસ્થિર અંશે છે, તેમને ઉત્તેજનાર વસ્તુ છે; જ્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy