________________
સર્વોદયની જીવનકળા ' અને આ બધા ઉપરાંત, પોતાના પક્ષમાં જ દ્રોહીઓ ઊભા થવાનો ભય તે આ બધામાં ઓતપ્રોત રહે સદાનો સાથે કાયમ જ હોય છે. મનુષ્ય કશું કરવા-ન-કરવાને સ્વભાવથી જ સ્વતંત્ર હોય, તથા ઈતિહાસરૂપી નાટક મનુષ્યરૂપી સ્વતંત્ર નટનટીઓ દ્વારા જ ભજવવાનું હોય, તો એમ બનવું અનિવાર્ય છે. સમાજ જેમ જેમ ભૌતિક કે આધ્યાત્મિક બાબતોમાં સમૃદ્ધિમાન બનતા જાય, તેમ તેમ તેમની “ન્યાય્ય વહેંચણી” જાળવવી એ વધારે ને વધારે મુશ્કેલ બનતું જાય છે; તથા ચેરને પણ, એક વાર એ બધું મારા હાથમાં આવશે, એટલે પછી બધાને હું ન્યાયી રીતે વહેંચી આપીશ, એ બહાના હેઠળ તેમના ઉપર હાથ મારવાનું વધારે સહેલું બનતું જાય છે. આ રીતે મનુષ્યની ધાડપાડુપણાની વૃત્તિઓને પ્રલોભન વધતું જાય છે, તેની સાથે સાથે દલીલબાજીની કળાનો પણ વિકાસ થતું જાય છે. એટલે પેલા ધાડપાડુને અંતરાત્મા કે તેના અન્ય મનુષ્યબંધુઓ જ્યારે તેને રોકેટો કે, ત્યારે તે પોતાના હીન હેતુઓને નૈતિક પરિભાષાના ઝભા હેઠળ પોતાની કે બીજાની આગળ ઢાંકી શકે છે. આગળ વધેલી સંસ્કૃતિને સામનો કરવાં પડતાં જોખમમાં આ જોખમને હું સૌથી કાતીલ ગણું છું. તેને ઐતિહાસિક દાખલ ગત યુરોપીય મહાયુદ્ધ છે. તે યુદ્ધના ધાડપાડુઓની લૂંટનો વિસ્તાર, અને પિતાના હેતુઓને નૈતિક ઓપ આપવાની તેમની ચતુરાઈભરી વાજાળ, એ બંને એકબીજાને અનુરૂપ જ હતાં એ જોઈ મને સેતાને* આપેલે પેલા જવાબ યાદ આવે છેઃ કઈ કે – મને લાગે છે કે હર્બર્ટ સ્પેન્સરના શિષ્ય – જ્યારે તેને સમજ પાડી કે, વિકાસવાદના કલ્યાણકારી અમલ હેઠળ થડા વખતમાં જ સમાજમાં સામ્યવસ્થા સ્થપાવાની થઈ હોવાથી સેતાનના પાપી અમલને હવે અંત આવવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org