SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વોદયની જીવનકળા અને સંગઠનને સપૂર્ણ બનાવવાં, એ બધાં કેળવણીને લગતાં કામો છે. અલબત્ત, એ બાબતોને અંગે આપણે કેળવણીની નવી જ વ્યાખ્યા કરવી પડશે. તથા મનુષ્યના ઉદ્યોગ સાથે તેને શે અને કેટલે સંબંધ છે, તેમ જ ઉદ્યોગ અને રમતગમત વચ્ચે, તથા ઉદ્યોગ અને આરામ વચ્ચે શો સંબંધ છે – વગેરે બાબતો પણ આપણે નવેસર વિચારવી પડશે. આટલા ઉપરથી એ પણ તરી આવે છે કે, રચનાત્મક નાગરિકધર્મ નરી રાજકીય પદ્ધતિઓનો જ વિષય નથી. આજે પણ મોટે ભાગે આર્થિક એવી સંસ્થાઓનો એક એવો મટે વર્ગ સમાજમાં હયાત છે, કે જેમને ચગ્ય વહીવટ ધારાસભાના કાયદા ઉપર નિર્ભર નથી; પરંતુ, જેમને તે વહીવટ સોંપાય છે તેમની વૈયક્તિક વફાદારી અને વિશ્વાસપાત્રતા ઉપર છે. તેમનું તંત્ર વૈજ્ઞાનિક રીતે જવામાં આવ્યું હોય છે, તથા તેમનો વહીવટ પણ પૂરેપૂરે વેપારી પેઢી જેવો જ હોય છે, પરંતુ અંતે તેમનો આધાર કાયદા કરતાં વિશ્વાસ ઉપર વધારે હોય છે. તેવી સંસ્થાઓને આપણે ટ્રસ્ટીપણાથી ચાલતી સંસ્થાઓ કહી શકીએ. જગતમાં સંગીન એકતા અને સહકાર વધારવા માટે, રચનાત્મક નાગરિકધમ એ પ્રકારના ટ્રસ્ટીપણાની ભાવના પર મોટે ભાગે આધાર રાખે છે. ટ્રસ્ટીપણાની ભાવનાવાળી પદ્ધતિઓ જગતભરમાં વ્યાપે એ તેનો ઈરાદો છે; કારણ કે તે પદ્ધતિઓ જ જગત જેટલા ઊંડાણવાળી છે. રચનાત્મક નાગરિકધર્મે આ વસ્તુ હાલ હયાત એવી ટ્રસ્ટી ભાવનાવાળી સંસ્થાઓ પરથી શોધી કાઢી છે. હવે તેને તે એવી રીતે વધારવા માગે છે કે જેથી, આજે પ્રજા પ્રજા વચ્ચે, વગ વર્ગ વચ્ચે અને સ્વાર્થ સ્વાર્થ વચ્ચે હરીફાઈના ભાવથી જે ભયંકર તાણાવાણા પ્રવર્તે છે તેને તે આવરી લે, સારરૂપે જોતાં એને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy