SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ નાગરિકધર્મનું ત્રિમુખી દયેય વળી તેનાથી શક્યતાની કલપનામાં જ ઉઘાડો ફેર પડી જાય છે. સમાજ જ્યારે સઢ છોડી નાખી કિનારે ઊભી રાખેલી હેડી જેવી સાદી રચનાવાળે હોય, ત્યારે સુધારણાની જે રીતિઓ કે યાત્રિક ગઠવણીઓ શક્ય હોય, તે બધી સમાજ જ્યારે તેફાન વચ્ચે થઈને કલાકના ત્રીસ નોટની ઝડપે દોડતી મહાસાગરની આગબોટને વિસ્તાર અને મુશ્કેલીઓ ધારણ કરે, ત્યારે અજમાવવાની ન જ હોય. ગમે તેવો ખાં માર યંત્રશાસ્ત્રી ભલેને હોય, તો પણ એટલું તો તે કબૂલ કરે જ. વળી તેનાથી પિલા સુધારકને પણ ચેતવણી મળે છે કે, તે પતે પણ તે વહાણ ઉપરનો મુસાફર છે, કિનારેથી જોનાર પ્રેક્ષક નથી; તથા તેની પોતાની જિંદગીનો આધાર તે વહાણની આગળ ચાલવાની શક્તિ કાયમ રહે તેના ઉપર જ છે. વહાણને સુધારવા માટે તે જે કાંઈ કરે, તેમાં તેણે સાવચેત રહેવાનું છે; નહીં તે તે તથા તેના કાર્યકમ બાકીના બધાની સાથે તરત જ સમુદ્રને તળિયે જઈને બેસશે. અત્યારનાં અવર-જવરના કે સ દેશા પહોંચાડવાનાં સાધનોમાં ગમે તેટલું સુધારો થયે હાય, છતાં અત્યારની દુનિયાને એક સૈકા પહેલાંની દુનિયા કરતાં સુધારવાનું જરાયે સહેલું બન્યું નથી. ઊલટું, તેના અતિશય વધેલા તથા હમેશ વધતા જતા વેગને કારણે તેને સુધારવાનું વળી વધારે મુશ્કેલ બન્યું છે. અને તેથી તે કામ માટે ડાયા તથા વધુ શક્તિશાળી માણસની જરૂર છે. સામાજિક રોમીમાંસકો ગમે તેવા બિહામણું રેગે સમાજ-શરીરમાં દેખાડે છે, તેમ છતાં આપણી સંસ્કૃતિ કેમ કરીને જીવતી રહી શકે છે, એ પ્રશ્નન, કાળ ભાવનાથી વિચારતાં, તદ્દન સામાન્ય શબ્દોમાં આ પ્રમાણે જવાબ આપી શકાય? તે જીવી શકે છે તેનું કારણ તેની અંદર આગળ ૧. એક નેટ એટલે ૬,૦૮૦ ફીટ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy