SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ નાગરિધર્મનું ત્રિમુખી દય . ૪૩ પ્રાણમયતાનાં મૂળ ક્યાં છે? આપણી સંસ્કૃતિને નબળી પાડનાર આટઆટલા રોગો હોવા છતાં, તેને રિબાવનાર આટઆટલી બીમારીઓ છતાં, તથા તેને કચરી નાખનાર આટઆટલાં સામાજિક અનિષ્ટોનો બોજ હોવા છતાં, નાગરિકેનાં આ “થોકબંધ ટેળાં સુખદુઃખે સામાજિક પ્રાણીઓ તરીકે શી રીતે જીવતાં રહી શકે છે? સમાજજીવનની આ અખૂટ ગતિ, કે જે તેને આવાં મોટાં મોટાં વિોની ઉપર થઈને તથા આવી કારમી આફતમાં થઈને આગળ લઈ જાય છે, તે ગમે તેમ તોય એક નક્કર તથા અદ્ભુત વસ્તુ છે. તેનો આપણી પાસે છે ખુલાસે છે? તેને જવાબ ઉઘાડો છે; ભલે પછી આપણે તેને વારંવાર ભૂલી જઈએ. માનવ-સમાજે “કાળમાં રહેલાં સંગઠને છે, અને તેથી તેઓ પિતાની અંદર સૈકાઓને, કદાચ હજારે વર્ષોને એકઠા થયેલો વેગ ધારણ કરે છે. તેમની શક્તિનું માપ સ્થળમાં દેખાતા તેમના બળના વિસ્તારથી જ નથી માપવાનું; પરંતુ વધારે છે, કાળમાં રહેલા તેમના ઊંડાણથી માપવાનું છે. અર્થાત, માત્ર મતદારમંડળના મતદારોની સંખ્યા ઉપરથી જ નહીં, પણ વધારે છે, તે મતદારોને ભૂતકાળમાંથી જે ટેવો અને પરંપરાઓ વારસામાં મળી હોય, તેમના ઉપરથી માપવાનું છે. બીજા શબ્દોમાં કહીએ તે, આકાશમાં તેમણે ફેલાવેલી શાખાઓના વિસ્તાર ઉપરથી જ નહીં, પરંતુ વધારે છે, તેઓએ જમીનમાં નાખેલાં મૂળાની લંબાઈ તથા મજબૂતાઈ ઉપરથી માપવાનું છે. આપણે ઘણી વાર સ્થળ-ભાવનાની રીતે એવું માનીને દલીલ કરીએ છીએ કે, જાણે સમાજ અત્યારની ક્ષણે જીવંત એવી વ્યક્તિઓનો બને છે. પરંતુ તેમ જ હોત તો તે, મૂળમાંથી ઉખાડી ના ખેલા ઝાડની પેઠે, તે તરત જ નાશ પામી જાત; પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy