________________
૩૭
સામાજિક રેગમીમાંસા સંશયાસ્પદ પેટ દવાઓ વેચનારાઓનું તથા અનેક જાતના સામાજિક ઊંટવૈદાનું નફાખોર બજાર ઊભું થાય. અને તેમાંથી ત્રીજું જોખમ એ ઊભું થાય કે, જુદા જુદા દાક્તરો વચ્ચે ચાલતા મતભેદોમાં જ આમજનતા એટલી અટવાઈ જાય છે, સાચા વૈદની સામે કઈ નજર પણ ન કરે, અને ઊંટવૈદ જ વકરે કરીને ચાલતો થાય. એ જોખમ એ છે કે, અમુક જાતના લેખકો સામાજિક રોગીલી દશાને આધુનિક જીવનના મુખ્ય લક્ષણ તરીકે પકડી લઈ, તેને દુરુપયેગ અધોગામી વાસ્તવવાદનો તથા સામાન્ય રેગીલા સાહિત્યનો પ્રચાર કરવામાં કરે. રોગમીમાંસક સ્વભાવનું અતિશય અનુશીલન કરવામાં એ કદાચ સૌથી મોટું જોખમ છે.
પરંતુ સદભાગ્યે બીજો વિકલ્પ પણ છેઃ
આપણા રોગમીમાંસકોએ પોતાના નિદાન વડે રોગની ભયંકર દશા ગમે તેવી બતાવી હોવા છતાં, આપણામાં આશા પૂરનારી એક વસ્તુ આપણને દેખાયાં જાય છે કે, સમાજ ગમે તેમ તોયે ટળે જાય છે. તેના રોગો ઉપર જેમ જેમ વધુ ભાર મૂકવામાં આવે છે, તથા તેમની યાદી જેમ જેમ વધુ ને વધુ લાંબી થતી જાય છે, તેમ તેમ આપણું આશ્ચર્ય પણ વધતું જાય છે કે, આવું રેગીલું, આવું લંગડું, આવું અપંગ તથા આવું ચેપીલું શરીર નભે છે કેમ કરીને!
તેનો જવાબ એક જ હોઈ શકે, અને તે એ કે, સમાજશરીરમાં ક્યાંક શક્તિને અખૂટ સંચય પડેલો છે. સમાજના રેગમીમાંસકોએ કદાચ વધારેપડતું સિદ્ધ કરી નાખ્યું છે. તેઓ જણાવે છે તે જ જે ખરેખર સાચું હોત, તે સમાજનું ચાલુ જીવ્યા કરવું અગમ્ય થઈ જાત.
એટલે આપણે તો આ વિચારને આધારે સમાજશરીરમાં રહેલી શક્તિનાં મૂળ, શક્ય હોય તે, ખોળી કાઢવાને અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org