SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વોદયની જીવનકળા સાહિત્યિક લેકોને ઉપયોગી થાય તેવું તે પદ્ધતિઓને ઓળખવાનું બીજું ખાસ લક્ષણ, તે પદ્ધતિઓની શૈલી છે. સ્થળ-ભાવનાથી વિચાર કરનારો પોતાના સ્વાભાવિક વાહન તરીકે મોટે ભાગે ગદ્યને પસંદ કરે છે; પરંતુ, કાળ-ભાવનાવાળે પદ્યને પસંદ કરે છે. સ્થળ-ભાવનાવાળે જે કઈ વાર ડહાપણ છોડીને પદ્યનો સ્વીકાર કરે, તો તેની કડીઓ અચૂક રીતે લકકડશી તથા જડ હોય છે. પરંતુ પદ્ય કરતાં નિકૃષ્ટ કેટને એવી ગદ્યની છટાની બાબતમાં તે જે શક્તિ બતાવી શકે, તેને હદ જ નથી. કાળ-ભાવનાવાળાને તે ગદ્ય પ્રતિકૂળ વાહન જ લાગે છે; વસ્તુઓની ગતિ વ્યક્ત કરવા માટે તે તેને અધૂરું માલૂમ પડે છે. તે તેને સ્વીકાર પણ ખચકાતે ખચકાતે કરે છે; અને પિતાનામાં ગાવાની શક્તિ ન હોવાથી તેને તેનો સ્વીકાર કરવો જ પડે, તે તે પોતાને કવિ ન બનાવવા સારુ નસીબને દેષ દે છે. કાળ-ભાવનાથી વિચાર કરવાનું ઉચ્ચતમ કક્ષાએ પહોંચ્યું હોય છે, ત્યારે કવિતા પણ તેની અર્થવાહક થઈ શકતી નથી, એટલે તે સર્વોત્તમ કેટીને વિચારક તે મૂંગે જ થઈ જાય છે. સિવાય કે તે વખતે “શબ્દ વિનાની કવિતા–રૂપ સંગીત તેની મદદ આવે. સંગીત એ કાળ-ભાવનાથી વિચાર કરનારની કળા છે. તથા જે જગતને તે હવે આવશ્યક તરીકે જોતા નથી, પરંતુ સ્વતંત્ર તરીકે સમજી છે, તેનું રહસ્ય વ્યક્ત કરવાની તેની પિતાની અનેખી રીત છે. આ બધાનો સાર એ છે કે, વસ્તુઓ વિષેની બધી દૃષ્ટિ'– ભલે પછી તે જગત વિષે હય, સમાજ વિષે હોય, મનુષ્યસ્વભાવ વિષે હોય, કે બીજા ગમે તે વિષે હોય, પણ જ્યાં સુધી તે બધી માત્ર “દૃષ્ટિએ” જ છે, ત્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy