________________
સામાજિક બાબતમાં કાળ-ભાવના ૧૧ રાખવા જેવું છે. તે એ છે કે, હજુ સુધી કોઈ માણસ સ્વર્ગનું એવું વર્ણન નથી આપી શક્યો કે જેથી શાશ્વત આનંદના ધામ તરીકે તેનો દા પુરવાર થઈ શકે. સ્થળ-ભાવનાવાળો પિતાના સ્વર્ગ અથવા સુખાવતીનું ચિત્ર ગમે તેટલું વિસ્તૃત બનાવે, તેમાં તે ગમે તેવા ભભકભર્યો રંગે પરે, તેમ જ આત્માને અનુભવવાની કે ચિંતવવાની ક્ષણિક ઘટના તરીકે એ દેખાવ ગમે તેટલો આકર્ષક લાગે; તોપણ સંત કે અસંત, મુમુક્ષુ કે ભેગી તે ચિત્રની વસ્તુને કાયમને માટે ભગવ્યા કરવાનો વિચાર સરખે સહન નહીં કરી શકે. માનવસુખનાં આ માનસચિત્રોને કાળ પદ્ધતિથી તપાસવા જઈએ છીએ કે તરત તે ઝાંખાં થઈ ઊડી જવા લાગે છે. ભલે પછી તે સુખ પુણ્યના ફળરૂપે પરલોકમાં ભેગવવાનું હોય કે આ લેકમાં પ્રાપ્ત કરવાની “સામાજિક સામ્યવસ્થાનું પરિણામ હોય. અને એ રીતે તે આપણને ચેતવે પણ છે કે, “સામાજિક કોયડાને ઉકેલ” એ માર્ગ નથી શોધવાને.
એક વખત હું ફા એજેલિકે એ દરેલું એક ચિત્ર જેતે હતે. તે ચિત્રમાં સ્વર્ગના ફિરસ્તાઓનું રમણીય દશ્ય હતું. તે ચિત્ર તેણે ભક્તિભાવે ઘૂંટણિયે પડીને દોર્યું હતું એમ કહેવાય છે. તે વખતે મારી સાથે નવ કે દશ વર્ષને એક છોકરો હતા. તે પહેલી જ વાર ચિત્રોના પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતો. પેલા ફિરસ્તાઓની પ્રાર્થના કરતી તેજસ્વી મૂર્તિઓનું નિરીક્ષણ કરવામાં મને મારી સાથેના છોકરાનો ખ્યાલ જ ન રહ્યો. પરંતુ એટલામાં તેણે ઓચિંતો જ એક અણધાર્યો પ્રશ્ન પૂછીને મને મારી વિચારનિદ્રામાંથી જગાડ્યો. તેણે પૂછ્યું, “આ ફિરસ્તાઓ ક્યાં સુધી પ્રાર્થના કર્યા કરશે?” ' કહ્યું, “વાહ, બહુ લાંબા વખત સુધી. જે ને, તેમને તેમાં કેવી મજા પડે છે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org