SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વોદયની જીવનકળા દૃષ્ટિબિંદુ” વાળા કહીએ છીએ. શ્રવણ, ઘાણ, રસના અને સ્પની ઇન્દ્રિયો જેકે સ્થળ સાથે છેક જ અસંબદ્ધ તો નથી જ; તે પણ તેઓ કાળ સાથે વધુ નિકટ સંબંધ ધરાવે છે. શું રાત્રી રય છે' એ વિષે તેઓ આપણને વધુ માહિતી આપે છે. ખાસ કરીને ધ્રાણેન્દ્રિય, કે જે કદાચ મનુષ્યની બધી ઇન્દ્રિયે કરતાં વધુ ઠીંગળાઈ ગઈ છે, તે એક વખત મુખ્યત્વે કાળ સંબંધી ઈન્દ્રિય હતી, એવાં લક્ષણે દેખાઈ આવે છે. ભૂતકાળની સ્મૃતિ જાગ્રત કરવાની તેની શક્તિ વિષે તે દરેક જણ માહિતગાર હશે. જર્મનીમાં એવા તર્કો પણ થવા લાગ્યા છે કે, જગતમાંથી પોતાનો રસ્તો શોધવામાં નાક કરતાં આંખ ઉપર આધાર રાખીને મનુષ્યના ચિત્ત ઘણું રસિક માહિતી ગુમાવી છે. એમ કહેવાય છે કે, કૂતરો કાળ ભાવનાથી વિચાર કરનારું પ્રાણું છે. અને જો તારે ખરેખર વિચાર કરી જ શકતો હોય, તે તે બીજી રીતે કરી જ ન શકે. વિચારશક્તિના પીઠબળવાળાં તેમનાં નાક તેમને ભારે જબરા ઈતિહાસ અને જોખમકારક ભવિષ્યો બનાવી શકે તેમ છે. હાલ છે તે પ્રમાણે પણ તેઓ ઈતિહાસની અને ભવિષ્ય ભાખવાની શક્તિથી વંચિત જ હોય એમ નથી દેખાતું. મારો પિતાને કૂતરે એ બંને બાબતોમાં ભારે પાવરધો છે. કોઈ અજાણ્યા સાથે એક વાર તેને પરિચય કરાવ્યું હોય, તો પછી લાંબે ગાળે હું તે માણસને ભૂલી ગયો હોઉં, ત્યારે તે તેને મોટા ટેળામાંથી પણ પકડી કાઢે છે; તથા હું જ્યારે પરગામ જવાનો હોઉં છું, ત્યારે તે દિવસે પહેલેથી રડવાનું શરૂ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy