________________
સર્વોદયની જીવનકળા માગું છું. એ નામ આ સંબંધમાં પરિચિત તે નથી જ; તેમ છતાં તે છેક નવીન પણ નથી. માનવ જીવનને લગતી તમામ બાબતે માટે સૌથી વધુ ગ્ય પદ્ધતિ તરીકે એનો ઉપયોગ કરવાની હું તમને ભલામણ કરવાનો છું.
એ કાળ-પદ્ધતિથી વિરુદ્ધ જ જનારી નહિ, પણ તેનાથી નખી તરી આવે એવી પદ્ધતિ, તે “દેશ- કે સ્થળ- ભાવનાથી વિચાર કરવાની પદ્ધતિ” છે. આ સ્થળ-પદ્ધતિ, જ્યાં જ્યાં માનવજીવનનું સામાજિક કે બીજું કોઈ પણ રહસ્ય વિચારવાનું હોય છે, ત્યાં અપર્ણ નીવડે છે. કારણ કે, માનવ જીવન ભલે સ્થળમાં ફેલાયેલા એક “દશ્ય” જેવું દેખાય; પરંતુ વસ્તુતાએ તે તે “ચેતન અનુભવ” તરીકે કાળમાં ગુજરતું હોય છે. પરંતુ જેને આપણે જમાનાના સામાજિક સાહિત્યનો પરિચય હશે, તે દરેક જાણતા જ હશે કે, વિચાર કરવાની સ્થળ-પદ્ધતિ અંતે ગમે તેટલી અપૂર્ણ નીવડતી હશે, તોપણ આ ક્ષેત્રમાં આજે તે તે જ પ્રાધાન્ય ભેગવે છે.
પરંતુ માનવજીવનને લગતી બાબતમાં સ્થળ-ભાવનાને અનુસરવી, એને હું પદ્ધતિને એક ગંભીર દેષ માનું છું. જોકે, એ દેષ વર્તમાનયુગના મહાન ગુણેની જ સાથે લાગેલ હોય, એમ બને. આપણે આગળ વધીશું, તેમ તેનાં પરિણામો આપણને વધુ સ્પષ્ટ થતાં જશે. મોટે ભાગે એ દેષ, આજકાલ યંત્રવિજ્ઞાન પ્રાપ્ત કરેલા અસાધારણ પ્રભુત્વમાંથી જ ઉદ્ભવેલ છે. છેલ્લાં ત્રણ સૈકાથી યંત્રવિજ્ઞાન આગળ આવવા લાગ્યું છે; અને હવે તેણે આપણા કાર્યક્ષેત્રને તે છોઈ દીધું છે જ, પરંતુ આપણા વિચારક્ષેત્ર ઉપર પણ તેણે પ્રભુત્વ પ્રાપ્ત કરી લીધું છે. કાર્યના ક્ષેત્રમાં અમુક બાબતોમાં પ્રભુત્વ પ્રાપ્ત કરવાને તેને હક સ્વીકારી એ પણ ખરા; પરંતુ વિચારક્ષેત્રમાં તો તેણે ખરી રીતે સેવક બનવાનું હાય, નહિ કે સ્વામી. એટલે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org