SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વોદયની જીવનકળા પા. ૨૨૩: આર ઇવાન્સઃ (૧૮૫૧-૧૯૪૧) અંગ્રેજ પુરાતત્ત્વસંશોધક. તેને પિતા સર જૅન ઇવાન્સ પણ પુરાતત્ત્વ–સશેાધક હતા. તેણે હેરા અને કસફર્ડમાં કેળવણી લીધી હતી. અને ૧૮૮૪થી તે એશમેલિયન મ્યુઝિયમનો સરક્ષક નિમાયા હતા. તેણે ખાન દ્વીપકલ્પ અને ક્રીટમાં પુરાતત્ત્વને લગતી વિસ્તૃત શોધખાળેા કરી હતી, અને ફિનીશિયન લેાકાના સમય પહેલાંની લિપિ શેાધી કાઢી હતી. તેણે ઘણાં પુસ્તકો લખ્યાં છે. ૨૪ પા. ૨૨૪: માઝાફ (ઈ. સ. ૧૭૯૯-૧૮૫૦) એક મહાન ફ્રેંચ નવલકથાકાર. તેણે ૮૦ ઉપર નવલકથાઓ લખી છે. તેનાં પુસ્તકામાં તેણે ફ્રેંચ લેાકાના જીવનની દરેક બાજુનું વફાદાર નિરૂપણ કરેલું છે, અને પાત્રાલેખનમાં તેની સરસાઈ કાઈ નથી કરી શકયું. પા. ૨૨૪: વેલાકવેઢઃ (ઈ. સ. ૧૫૯૯-૧૬૬૦) સ્પેનના સુપ્રસિદ્ધ ચિત્રકાર. તેણે કુદરતનાં દૃશ્યોનાં તેમ જ ધાર્મિક, ઐતિહાસિક તેમ જ પ્રાચીન સાહિત્યના વિષયાનાં ચિત્રો ચીતર્યા છે. પરંતુ માણસની મુખાકૃતિ ચીતરવામાં તે એક્કો ગણાતા હતા. પા. ૨૨૭: એન્ડીઝ પર્વત પરનું ક્રાઈસ્ટનું માવલું: દક્ષિણ અમેરિકામાં આર્જેન્ટાઈન અને ચાલીનાં બે રાજ્યેા વચ્ચે આવેલા એન્ડીઝ પૂર્વાંત ઉપરનાં કેટલાંક સરોવરોની હદ નક્કી કરવાની તકરારમાં તે અને રાજ્યે લડવાની અણી ઉપર આવી પહોંચ્યાં. ઈ. સ. ૧૯૦૦ના ઉનાળામાં તેા લડાઈ જાહેર કરવાનું પણ નક્કી થઈ ગયું. તેવામાં એપ્રિલ મહિનાના ઈસ્ટરના તહેવારો આવ્યા. એ તહેવારો, ઈશુખ્રિસ્ત ક્રૉસ ઉપર મૃત્યુ પામ્યા પછી પુનર્જીવન પામ્યા તેના આનંદના દિવસેા મનાય છે. તે દિવસેામાં અને રાજ્ગ્યાની ખ્રિસ્તી પ્રજાએ ઈશુને નામે દેવળામાં પ્રાÖના કરવા ઊભરાવા લાગી. તે તકને લાભ લઈ, આર્જેન્ટાઈનના મેટા પાદરીએ પાતાના મુખ્ય દેવળમાં શાંતિપાઠ ખેાધતું પ્રવચન આપ્યું અને તેને સૂર ઝીલી લઈ ચાલીના મેટા પાદરીએ પણ શાંતિભેાધક કામ પાતાના દેશમાં ઉપાડયું. શરૂઆતમાં તે લેાકાએ તે તરફ ધ્યાન ન આપ્યું. પણ પછી વડા પાદરીઓની ધગશથી લોકોને હૃદયપલટા થયા અને બંને રાજ્યાના પ્રમુખાએ તકરારી પ્રશ્નના ઉકેલ આણવા ફરી સ ંદેશા શરૂ કર્યાં, અને ઇંગ્લેંડના રાજાને લવાદ નીમવાનું નક્કી ક્યું. આ રીતે તે તકરારને શાંતિથી નિવેડા આન્યા. પ્રજા આ નિવેડાથી હુ રાજી થઈ, તથા ભવિષ્યમાં પણ કાઈ ખાખત ઉપર મતભેદ થાય, તેા લડવાની જંગલી રીતને ખદલે તટસ્થ પંચ કે લવાદ મારફત તાડ કાઢવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યેા. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy