SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણુ પા. ૧૪૨ ૨૦૩ પા. ૧૪૨ : કાન્સ્લટાઈન : (ઈ. સ. ૨૮૮ ?–૩૭૭) રામનેા બાદશાહ. ઈ. સ. ના પ્રારંભથી પ્રાચીન ગ્રીક રામન દેવપૂજના ધર્મ અને નવે આવેલા ખ્રિસ્તી ધર્મ એ અને રેશમન સામ્રાજ્યમાં સામસામે આખડવા લાગ્યા. આદિ ખ્રિસ્તીએ તેમની શ્રદ્ધા અને શુદ્ધ બલિદાનને જેરે માગ મુકાવતા આવતા હતા. એમની આ સહનશક્તિ અને બલિદાનને ઇતિહાસ રેામાંચક છે. એ ઝઘડાના ઈતિહાસના અંત કોન્સ્ટટાઈનના સમયમાં એ રીતે આવ્યા કે, તેણે ખ્રિસ્તીધર્મ સ્વીકાર્યો. તે તેણે કઈ સાલમાં સ્વીકાર્યું એ નથી જાણવા મળતું, પણ તેના જીવનના અંતભાગમાં એ બન્યું હશે એમ ઇતિહાસ પરથી લાગે છે. આ બાદશાહ રામની રાજગાદી કાસ્ટ ંટનોપલ નામનું નવું ગામ વસાવી ત્યાં લઈ ગયેા. પા. ૧૪૨ : મધ્યયુગ ઃ ખ઼ુએ આગળ પા. 1 ઉપરનું ટિપ્પણ અંધારયુગ ’. પા. ૧૪૩ : હામ્સ ઃ (ઈ. સ. ૧૫૮૮-૧૬૭૯ ) અંગ્રેજ ફિલસૂફ તે પાદરીના પુત્ર હતા તથા ઑક્સફર્ડની કેળવણી પામ્યા હતા. ઈ. સ. ૧૬૧૦૧૬૩૭ દરમ્યાન ત્રણેક વખત ખાનગી શિક્ષક તરીકે તે ફ્રાંસ ઇટલી વગેરે દેશમાં જઈ આવ્યા હતા. તે ઘેાડા વખત પ્રિન્સ ઑફ વેલ્સ ( પછીથી રાજા ચાર્લ્સ ૨) ના ગણિતરિાક્ષક નિમાયા હતા. રાજા થયા પછીથી પણ તે હોમ્સ પ્રત્યે બહુ માનભાવ રાખતા હતા. હોમ્સનાં પુસ્તકાએ યુરોપમાં, કોઈ પણ બાબત અંધશ્રદ્ધાથી માનતા પહેલાં જાતે તપાસ કરી જેવાની અથવા કોઈ પણ બાબત વિષે પ્રશ્ન ઉઠાવવાની વૃત્તિને અસાધારણ પ્રેરણા આપી છે. તેને અંગ્રેજ રાજનીતિશાસ્ત્રને સ્થાપક તેમ જ અંગ્રેજ માનસશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. સાહિત્યમાં પણ એક વિશિષ્ટ શૈલીકાર તરીકે તેની નામના છે. પેાતાના દેશની માતૃભાષામાં ગહન વિચારો ઉતારી શકાય છે એમ તે માનતા હતા. તે કહેતા કે ફિલસૂફીનું લક્ષ સામાજિક હોવું જોઈએ; અને ઈશ્વરને લગતી ચા પારલાર્કિક વસ્તુઓને લગતી બાબતેને તેમાં સ્થાન ન હોવું જોઈએ. બધા રાજ્યતંત્રના પાયેા ખળ છે, અને અસરકારક નીવડવા માટે દરેક રાજ્યતંત્રે સર્વાંસત્તાધીશ બનવું જોઈએ, એમ તે માનતે. વળી, આધ્યાત્મિક બાબતેએ હંમેશાં લૌકિક બાબતેને માગ આપવા જોઈએ, અને લેાકેાએ વગર આનાકાનીએ રાજા તથા તેના પ્રધાનાએ માન્ય રાખેલા કાયદાએ તેમ જ શ્રાવિધિ સ્વીકારી લેવાં જોઈએ, એવું તે કહેતા. < પા. ૧૪૩: રૂસા (ઈ. સ. ૧૭૧૨-૭૮ ) સ્ક્રેચ લેખક અને ફિલસૂફ તે જિનીવામાં એક ઘડિયાળીને ત્યાં જન્મ્યા હતા. નાનપણમાં જ અનાથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy