________________
આવું ઉત્તમ સામાજિક એગ-દર્શન ગુજરાતીમાં ઉતારવાને માટે સંપાદક તથા પ્રકાશક-સંસ્થાને ધન્યવાદ ઘટે છે. આવા પુસ્તકથી આપણી ભાષા પણ શક્તિ પામે છે. પુસ્તક સરળ પ્રવાહી ભાષામાં અનેક નવીન વિચારને ગુજરાતીમાં રજૂ કરે છે. અને ભાષા એ પ્રકારનાં નવાં ખેડાણુથી વધે છે. આપણું કોલેજોમાં પાઠ્યપુસ્તક તરીકે આવા ગ્રંથને સ્થાન હોવું ઘટે. રખે કઈ વાંધે બતાવે કે આ તે અનુવાદ છે. ભાષાની શક્તિ ખીલવવા કેટલીક બાબતમાં મૂળ કરતાં અનુવાદ-લખાણ વધુ મદદ કરી શકે; જે દશામાં આપણું સાહિત્ય છે તેને માટે તે આ ખાસ લાગુ પડે છે. સામાન્ય વાચકને માટે આ પુસ્તક એક અભ્યાસ અને મનનો વિષય બનશે. સંપાદકે જરૂરી સૂચિ વગેરે આપી ગ્રંથની ઉપયોગિતા વધારી છે. ગુજરાતી વાચકવર્ગ આ ગ્રંથને વધાવી લેશે, એમ માનું છું. ૧૦–૧–૪૨
મગનભાઈ દેસાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org