SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ એ તદ્દન વિપરીત અર્થ જ થશે. અલબત્ત, સહકારથી મનુષ્યજાતિને ઘણું લાભ થાય છે, તેનાથી ઘણે કલહ ઓછો થઈ જાય છે, અને બધા વચ્ચે સુમેળ સ્થપાય છે, તેનાથી શક્તિને ઘણે નિરર્થક વ્યય થત બચે છે, તેનાથી પદાર્થોની ઉત્પત્તિનું પ્રમાણ વધે છે, તેમ જ તેમની વહેંચણી પણ વધુ ન્યાયી થાય છે. એ બધાની હું ના નથી પાડતા. પરંતુ એટલાથી જ અટકી જવું, અને તેથી આગળનું સત્ય ન જેવું કે, સહકાર કરનારાઓની સંકલ્પશક્તિ કોઈ ઉદાત્ત ધ્યેય ઉપર કેન્દ્રિત થાય, અને તે ધ્યેયોને વીરતાપૂર્વક અનુસર્યા કરે, તે જ તે લેકે માં સહકાર જામી શકે કે કાયમ રહી શકે, તો એ ભારે જોખમકારક વસ્તુ છે. આળસુ, હલકટ, કાયર, આરામી, અને અણઘડ લેકમાં સહકાર ઊભો થે જ અશક્ય છે.”(પા. ૨૩૪–૫.) સમાજધારણ એ વીરતાભર્યું સાહસ છે; તેને આરામ કે ઉપભોગ યા સુખનું સાધન માનવા-મનાવવાની ફિલસૂફી માણસાઈ તથા સમાજની સરખી ઘાતક છે. “આરામ અને સુખની બીજી ગમે તે કિંમત હય, પણ તેઓ મનુષ્યજીવનમાં સંગઠન કે, એકરાગ સ્થાપનારી વસ્તુઓ તે નથી જ......ખરું જોતાં આખી સંસ્કૃતિને સંગઠિત કે એકરાગ કરનાર વસ્તુ જોઈતી હોય, તે તે સમાનપણે સુખ ભોગવવા કરતાં સમાનપણે દુઃખ ભોગવવું, એ આપણું હેતુને વધુ સિદ્ધ કરનાર નીવડે. કારણ કે સુખ તે મનુષ્યસ્વભાવમાં જે કાંઈ નિર્બળ અને અસ્થિર અંશ છે, તેમને ઉત્તેજનાર વસ્તુ છે.”. . .(પા. ૨.) એટલે જેસ તે એટલે સુધી કહેવા પહોંચે છે કે, માણસના અનેક હિકમાં સુખના ત્યાગને હક પણ એક વિરલ હક છે. “હું તો એને માણસના બધા હકમાં સૌથી વધારે કીમતી હક ગણું તે હક એટલે તેની ફરજ બજાવવાનો હક – દુઃખ ભોગવવાને હક તેના બીજા જે કઈ હક હોય, તે બધાની પ્રથમ શરતરૂપ તે હક છે.” (પા. ૧૬૪.) ગાંધીજી હંમેશ માનવ હકોની વ્યાખ્યા તેની ફરજો મારફતે કરે છે, તે વાચકને યાદ હશે જ. હકે ફરજના પાલનમાંથી આપોઆપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005191
Book TitleSarvodayni Jivankala
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1955
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy