________________
મજૂરીને અણગમે
૧૧૧ ફુરસદનો પ્રધાન સૂર કુશળતા જ હોવું જોઈએ અને તે દરમ્યાન ઉત્તમતા જ સિદ્ધ કરવામાં આવતી હોવી જોઈએ; ભલે પછી તેને કામકાજનો સમય કહે કે રમત-ગમતને કહો. આમ મજૂરી તેમ જ કુરસદ બંનેને એક સાથે સમાવતા એક જ સિદ્ધાંત દ્વારા તે બંનેની એકતાના મહાદશનની પણ ઔદ્યોગિક જમાને રાહ જોઈ રહ્યા છે.
આ સિદ્ધાંતની અંદર રહીને, નાગરિકની કેળવણીનું ઘડતર થવું જોઈએ. એ સિદ્ધાંત સામાન્ય કેળવણીને પણ લાગુ કરવામાં આવે, તો એક બાજુ તેની નિષેધાત્મક અસર એ થશે કે, જે પદ્ધતિઓથી માત્ર વંધ્ય જ્ઞાન જ નીપજતું હશે, અર્થાત્ એવું જ્ઞાન કે જેને વિદ્યાથી સામાજિક દૃષ્ટિએ ઉપગી તથા અંગત દૃષ્ટિએ આનંદદાયક એવા કેઈ કામમાં લઈ શકતા ન હોવાથી જલદી ભૂલી જાય છે, અથવા જલદી તુચ્છકારતાં શીખે છે, તેવું વધ્ય જ્ઞાન આપતી પદ્ધતિઓને ધીરે ધીરે અંત આવતો જશે; અને બીજી બાજુ તેની રચનાત્મક અસર એ થશે કે, માણસમાં રહેલી શક્તિઓને પ્રયત્નપૂર્વક શોધી કાઢીને તેમને શરીર અને મનને લગતી તમામ કળાઓ અને હુન્નર દ્વારા ખીલવવાનો પ્રયત્ન કરવામાં આવશે. અલબત્ત, તે હુન્નર-કળાઓ એવાં હશે કે જે માનવ જીવનના રહસ્ય અને મૂલ્યમાં વાસ્તવિક વધારે કરતાં હશે; તથા તેમનું અનુશીલન કરનાર દરેકને એવી પ્રતીતિ અર્પતાં હશે કે તે પોતે વૈયક્તિક રીતે જગતને ઉપયોગી છે. એ પ્રકારની પ્રતીતિ ન હોવી એ જીવનનું મોટામાં મોટું દુઃખ છે. આ જાતની કેળવણી માનવ જ્ઞાનની મર્યાદા સંકુચિત કરવાને બદલે તેને વિસ્તાર કરશે તેને વધુ ઊંડું બનાવશે, તથા સંસ્કૃતિનું ધોરણ નીચું કરવાને બદલે તેને કલપનામાં પણ ન હોય તેટલી ઊંચાઈએ પહોં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org