SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પુરિસાદાણ શ્રી પાર્શ્વનાથજી પ્રાત:કાળે રાજાને તે વાત કહેતાં તેમણે તે સ્વપ્નનાં ફળની વ્યાખ્યા કહી બતાવી. તે સાંભળી દેવી અત્યંત હર્ષ પામ્યા. સમય આવતાં સૂર્યને પૂર્વ દિશા પ્રવે તેમ તેણીએ એક પુત્રને જન્મ આપે. રાજાએ તેને જન્મોત્સવ કરીને મોટા ઉત્સવથી તેનું સુવર્ણબાહુ” એવું નામ પાડ્યું. ધાત્રીઓએ અને રાજાએએ એક ઉત્સગથી બીજા ઉસંગમાં લીધેલો તે કુંવર વટેમાર્ગ નદીનું ઉલ્લંઘન કરે તેમ હળવે હળવે બાલ્યવયને ઉલ્લંઘન કરી ગયે. પૂર્વ જન્મના સંસ્કારથી તેણે સર્વ કળાએ સુખે સંપાદન કરી અને કામદેવના સદનરૂપ યૌવનવયને પ્રાપ્ત થયે. તે સુવર્ણબાહ કુમાર રૂપથી અને પરાક્રમથી જગતમાં અસામાન્ય થયે. તેમજ વિનયલમીથી સૌમ્ય અને પરાક્રમથી અધૃષ્ય થયે. કુલિશબાહુ રાજાએ પુત્રને ચોગ્ય થએલે જાણી આગ્રહથી રાજ્ય ઉપર બેસાડ્યો અને પોતે ભવૈરાગ્યવડે દીક્ષા લીધી. તીધર્મ દેવલોકમાં ઇંદ્રની જેમ પૃથ્વીમાં અખંડ આજ્ઞા પ્રવર્તાવીને અનેક પ્રકારના ભેગને જોગવતો તે કુમાર સુખરૂપ અમૃતરસમાં મગ્ન રહેવા લાગ્યો. એક વખતે હું જારે હાથીઓથી વીંટાએલ કુમાર સૂર્યના અધોમાં આઠમે હોય તેવા એક અપૂર્વ અશ્વ ૧. કઈ ધારણ ન કરી શકે તેવો. - ૨. સૂર્યના રથને સાત અશ્વો જોડેલા છે એવી લક્તિ છે. તેની સમાન આ અશ્વ હેવાથી આઠમો કહ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005189
Book TitlePurisadani Parshwanathji
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy