SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ચિત્ર પઢ : ઉત્તરાધ્યયનસૂત્રના એક પ્રસંગ (પંદરમા સૈકા) ચિત્ર પ૯ ઉત્તરાધ્યયન સૂત્રના એક ચિત્રપ્રસંગ—હંસવિ ૩ ની પ્રતમાંથી. ચિત્રમાં, ઉપર ગાળાકૃતિમાં પાણી ભરેલું તળાવ, તેમાં તરતાં રાજહંસ વગેરે જળચર પક્ષીઓ અને વચ્ચે એક મેટું કમળ ઊગેલું બતાવ્યું છે. તળાવના કાંડા ઉપર જળચર પક્ષીઓ કરતાં બતાવ્યાં છે. આ ચિત્ર દોરવાનો ચિત્રકારના આશય એવા છે કે જેવી રીતે મોટા તળાવનાં જળ આવવાના ચારે બાજુના માર્ગો બંધ કરવામાં આવ્યા છે, તેવી રીતે સંયમી પુરુષને નવાં પાપ આવવાનાં દ્વારા વ્રતદ્વારા રૂંધાઇ જવાથી બાકી રહેલાં પહેલાંનાં બંધાએલાં કર્યાં તપદ્રારાએ શોષાઇ જાય છે. તે એવી રીતે કે જેમ જળ આવવાના માર્ગો બંધ કર્યાં પછી તળાવની અંદરનું પાણી સૂર્યના પ્રચંડ તાપથી શેષાઇ જાય છે તેમ. વળી ચિત્રમાં નીચેના ભાગમાં સાધુની આજુબાજુ એ ઝાડા જુદીજુદી જાતનાં ચિત્રકારે ચીતયા છે. તે ચીતરવાના આશય પણ ઉપરની કલ્પનાને મળતા હોય એમ લાગે છે. ઝાડ જેવી રીતે જળ વગેરેનાં સીંચનથી આવડાં મેટાં ઊગેલાં છે, તેવી જ રીતે સંયમી પુરુષ પણ કર્મોથી બંધાતાબંધાતા ઉમરલાયક થાય છે; પરંતુ જેમ વૃદ્ધિ પામેલા ઝાડને પણ જો જળમીંચન વગેરે કરવામાં ન આવે તે આખરે તે સૂર્યના તાપથી કરમાને નાશને પામે, તેવી રીતે જ સંયમી પુરુષને નવાં કર્યાં આવવાના રસ્તા બંધ થવાથી જૂનાં કર્મોનેા નાશ તપશ્ચર્યાં વગેરે ક્રિયાએથી થઇ જાય તે અંતે સર્વ પાપકર્માંથી મુકાઈને તે મેાક્ષસુખને પામે. ઝાડ ચીતરવાના ચિત્રકારને આશય આ બતાવવાના હોય એમ લાગે છે. Jain Education International જૈન ચિત્ર-કલ્પલતા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005188
Book TitleJain Chitra Kalplata
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy