SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્ર-કલ્પલતા 0 | તેનું નિહિ. DIBLE Sા ૪૭ થી ૮) XXXXXXXXXXXXXX ચિત્ર પ૦ : ભગવાન મહાવીરની દીક્ષા (પંદરમા સૈકા) સુંદર રીતે ચીતરેલો છે: ચિત્ર ૨૨કમાં ઉપર અને નીચે બ9-બે સાથીઓ ચીતરીને ચારની રજૂઆત કરેલી છે, જ્યારે આ ચિત્રમાં સાત સાધ્વીઓ ચીતરેલી છે. દરેકના મસ્તકની પાછળ બૌદ્ધ ભિક્ષુઓનાં પ્રાચીન ચિત્રોમાં દિવ્યતેજ (ભામંડલ) બતાવવા સફેદ ગાળ આકૃતિ મૂકવામાં આવે છે તેવી જ રીતે આ ચિત્રમાં દરેક આકૃતિની પાછળ તેની રજૂઆત કરવામાં આવી છે. વળી વધારામાં નીચેના પ્રસંગમાં સ્થાપનાચાર્ય, સાધુના માથે છત્ર તથા છત્રની પાસેથી ઊડતી એક કોયલ ચીતરી છે, જેની રજૂઆત ચિત્ર ૨૨ ૩માં બીલકુલ દેખાતી નથી. ચિત્ર ૫૦ ભગવાન મહાવીરની દીક્ષા-ચિત્રમાં ઉપર અને નીચે એમ પ્રસંગો છે. તેમાં કથાના પરિચયની શરૂ આત નીચેના પાલખીના ચિત્રથી થાય છે. ‘પચાસ ધનુષ્ય લાંબી, પચ્ચીસ ધનુષ્ય પહોળી, 'છત્રીસ ધનુષ્ય ઉચી, સુવર્ણમયુ સેંકડો સ્તંભોથી શોભી રહેલી અને મણિઓ તથા સુવર્ણથી જડિત, એવી ‘ચંદ્રપ્રભા' નામની પાલખીમાં પ્રભુ (મહાવીર) દીક્ષા લેવા નિસર્યા. - તે સમયે હેમંત ઋતુને પહેલો મહિના માગશર માસ, પહેલું પખવાડિયું કૃષ્ણપક્ષ અને દશમની તિથિ હતી. તે વેળા તેમણે 'છના તપ કર્યો હતો અને વિશુદ્ધ લેસ્યાઓ વર્તતી હતી. પ્રભુના જમણે પડખે કુલની મહત્તા સ્ત્રી હંસલક્ષણ (કાપડની જાતિવિશેષ) ઉત્તમ સાડી લઇને બેઠી હતી. ડાબે પડખે પ્રભુની ધાવમાતા દીક્ષામાં ઉપકરણ લઇને બેઠી હતી. સર્વ પ્રકારની તૈયારી થઈ રહ્યા પછી નંદિવર્ધનની આજ્ઞાથી તેના સેવકોએ પાલખી ઉપાડી.” આ પછી ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવેલો પ્રભુ મહાવીરે કરેલો અનગારપણા (સાધુવત) ના સ્વીકારનો પ્રસંગ જોવાનો છે. ‘અરોક વૃક્ષ (આસોપાલવ નહિ)ની હેઠળ આવી પ્રભુ નીચે ઉતર્યા અને પોતાની મેળે જ આભૂષણો ઉતારવા લાગ્યા. સર્વ અલંકારનો ત્યાગ કર્યા પછી, શ્રમણ ભગવાન મહાવીરે પોતાની મેળે જ એક મુષ્ટિ વડે દાઢીમૂછને અને ચાર મુષ્ટિ વડે મસ્તકના કેશનો એવી રીતે પંચમુષ્ટિ લેચ કર્યો. એ વેળા નિ છઠ્ઠને તપ તો હતો જ. ઉત્તર ફાગુની નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ થયે ત્યારે ઈન્દ્ર ડાબા ખભા ઉપર સ્થાપન કરેલું દેવદુષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005188
Book TitleJain Chitra Kalplata
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy