SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્ર-કપલતા ચિત્ર ૨૩ શ્રી પાર્શ્વનાથનું દેરાસર–શા. વિક્રમ, શા. રાજસિંહ, શા કર્મણ તથા હીરાદે શ્રાવિકા ઉપર્યુક્ત પ્રતના પાના ર૯૬ ઉપર ચિત્ર. ચિત્રનું કદ ૨૧૪૨ ઈય છે. જમણી બાજુ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું શિખરબંધ દેરાસર છે, જેમાં મધ્ય ભાગમાં નીલ વર્ણની શ્રી પાર્શ્વનાથ પ્રભુની સુંદર મૃત આભૂષણો સહિત બિરાજમાન છે. મસ્તકે શ્યામ રંગની સાત કણાઓ છે. મૂર્તિની સન્મુખ ગર્ભાગારની બહાર રંગમંડપમાં સા. વિઝમ, સા. રાન્નતિ, સT. અમેળ |મના ત્રણ પુષ તથા શ્રાવિકા હીરાવ નામની એક સ્ત્રી અનુક્રમે છે. સધળાં બે હાથની અંજલિ જોડીને પ્રભુની સ્તુત કરતાં ઊભાં છે. દેરાસરનું શિખર આકાશમાં ઉડની વજા સહિત દેખાય છે, શિખર તથા રંગમંડપ ગુજરાતની મધ્યકાલીન સ્થાપત્યકળાના સુંદર •ીમૂન છે. શિખરની બંને બાજુએ ઊડતાં પક્ષીઓની તથા રંગમંડપ ઉપરથી કુદકા મારીને શિખર તરફ જતાં ત્રણ વાંદરાંઓની રજુઆત કરવામાં, આ દેરાસર ગગનચુંબી છે તેમ બતાવવાનો ચિત્રકાર ઇરાદો છે. સા. વિમ, તા. રાજ્ઞસન્ન તથા સા. કર્મળ ત્રણે સગા ભાઈઓ તથા વૈભવશાળી ગૃહસ્થ-શ્રાવકે હશે તેમ તેઓના પહેરવેશ ઉપરથી જણાઈ આવે છે. મારી માન્યતા પ્રમાણે કદાચ ચિત્રમાં રજુ કરેલું પાર્શ્વનાથનું મંદિર પણ તેઓએ બંધાવ્યું હોય. ગુજરાતમાં પ્રાચીન ચિત્રોમાં વાંદરાની રજુઆત સૌથી પ્રથમ આ ચિત્રમાં મળી આવે છે. જોકે વિ. સં. ૧૪૯૦ (હ.સ.૧૪૪૩)ના કાપડ ઉપર ચીતરાએલા પંચતીર્થી પટમાં પણ વાંદરાની રજુઆત કરવામાં આવી છે, પરંતુ તે પટ આપણું આ ચિત્રથી પછીના સમયને છે. ચિત્ર ૨૪ આનંદપ્રભ ઉપાધ્યાયને સિદ્ધહેમ વ્યાકરણની પ્રત લખાવવા માટે મંત્રી કર્મણ વિનતિ કરે છેઉપરના ચિત્રના અનુસંધાનનું આ ચિત્ર મૂળ પ્રતના પાને ૨૯૭ ઉપરથી લેવામાં આવ્યું છે. ચિત્રનું કદ ૨૪૨૬ છે. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. તેમાં ચિત્રના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. જમણી બાજુએ સિહાસને ઉપર ડાનHTEયાર નામના જૈન સાધુ જમણા હાથમાં મુહપત્તિ રાખીને તથા ડાબે હાથે ઢીંચણ ઉપર ટેકવીને સામે બેઠેલા શિષ્યને પા આપતા હોય એમ લાગે છે. સામે બેઠેલા શિયનું નામ શ્રીનિંતિઝમુનિ છે. કીર્તિતિલક મુનિના બંને હાથમાં તાડપત્રનું એક પાત્ર છે. તેમની પાછળ સા. કર્મળ તથા ઉપરના ભાગમાં Rા. વિસર બે હાથની અંજલિ જોડીને બેઠેલો અને ગુના ઉપદેશનું શ્રવણ કરતા દેખાય છે. આ પછી ચિત્રના અનુસંધાને નીચેના ચિત્રમાં બે સાલીએ કે જેમનાં નામે અનુક્રમે શ્રીકાંતિકાળનો તથા શ્રીમત્રતામાનદત્તરામુદા છે અને બંને સાધ્વીએની સામે બે શ્રાવિકાઓ છે જેમાં એકનું નામ વીર દીપ્તિમુદ્યાવિદા: એટલે વાટગીય હીરાદેવી મુખ્ય ભાવિક છે. ઉપર્યુક્ત ચિત્રની બધી વ્યક્તિઓ તથા નીચેના ચિત્રનો સાધ્વીઓ તથા શ્રાવિકાઓ આનંદપ્રભોપાધ્યાયનો ઉપદેશ શ્રવણ કરે છે. વિશેષ તો પ્રત લખાવનારના સમયના મુખ્ય સાધુઓ, સાવીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓનાં નામ સાથેના આ ચિત્રા હાઇને તે આપણને તે સમયના ચતુર્વિધ સંધના રીતરિવાજો તથા પહેરવેશને બહુ જ સુંદર ખ્યાલ પૂરો પાડે છે. આ ચિત્રોમાં મુખ્યત્વે કરીને લાલ, કાળો, ધેાળા, પીળો, લીલે તથા ગુલાબી રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચિત્ર ૨૨-૨૩માં જિનમંદિરોની રજુઆતમાં તે સમયનાં જિનમંદિરની સ્થાપત્યરચનાનું, તથા ચિત્ર ૨૨-૨૩-૨૪માં સ્ત્રી- પુના પહેરવેશો તેમજ તે સમયના ગુજરાતના વૈભવશાળી ગૃહસ્થોના રીતરિવાજોનું ભાન કરાવનારા પુરાવે છે. ચિત્ર ૨૨માં હાથીને જે રંગ પોપટીઓ લીલો છે તે ચિત્રકારની કલ્પના માત્ર છે અને તે બતાવીને તેનો આશય આ હાથી સામાન્ય નથી પણ વિશિષ્ટ જાતિને છે તે બતાવવાને છે. ચિત્ર ૨૩-૨૪માં સા. વિક્રમ, સા, રાજસિહ તથા સા. કર્મણના માથાની પાછળના ભાગમાં ખેડા વાળેલા છે અને અંબાડામાં દરેકે માથાને ખૂપ (માથે પહેરવામાં આવતો દળીને) ઘાલે છે તે રિવાજ આજે સ્ત્રીઓમાં હજુ ચાલુ છે, પરંતુ ગુજરાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005188
Book TitleJain Chitra Kalplata
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy