________________
ધ્યાનમાર્ગમાં છદ્મસ્થ અને કેવલજ્ઞાનીના પુરુષાર્થની દિશાઓ જુદી છે. અત્યારે શુક્લધ્યાન નથી, માત્ર ધર્મધ્યાન છે. તેના પણ લાખો ભેદ છે. પણ સેન્ટર લાઇન તરીકે આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય, આ ચાર પ્રકારનાં ધ્યાન ઉપયોગી ને મહત્ત્વનાં છે.
આજ્ઞાવિચય એટલે તીર્થંકરની આજ્ઞા શું છે તેનું ઊંડાણથી ધ્યાન કરવું. એ ટુ ઝેડ (પહેલેથી છેલ્લે સુધી) આજ્ઞા શું છે તે ખબર હોવી જોઇએ. આ બહુ જ વિસ્તૃત વિષય છે. ખાલી આના પર જ ચાર મહિના સુધી મજેથી ધ્યાન કરી શકાય.
સભા :- ‘ગીતાર્થ ગંગા'માંથી આના પર પુસ્તકો આવશે ?
સાહેબજી :- હા, ચોક્કસ આવશે. ધ્યાનમાર્ગ સાંગોપાંગ આવશે. અપુનબંધક અવસ્થાથી માંડીને શૈલેશીકરણની અવસ્થા સુધી પ્રભુની શું આજ્ઞા છે, તેનું ધ્યાન આજ્ઞાવિચય. ભગવાનની આજ્ઞા સંયોગભેદે, વ્યક્તિભેદે, ભૂમિકાભેદે બદલાય છે. માટે આજ્ઞામાં ઘણું વ્યાપક વૈવિધ્ય છે. જિનાજ્ઞા સમજવી ૨મત વાત નથી. દા.ત. અન્ય ધર્મમાં રહેલ મુમુક્ષુ આત્મા હોય તેને મહાદેવ આદિની પૂજા કરવી એવી આજ્ઞા છે, જ્યારે તમારા માટે આવી આજ્ઞા નથી, તમે મુમુક્ષુ હો તો પણ. તમારા માટે જુદી આજ્ઞા આવશે. માટે જિનાજ્ઞા સમજવા વિવેકની, મહાબુદ્ધિની જરૂર છે. હિંસા ક્યાં કરવી ? અહિંસા ક્યાં કરવી ? રાગ-દ્વેષ ક્યાં કરવા ? રાગ-દ્વેષ ક્યાં છોડવા ? સદાચાર ક્યાં પાળવા ? કયા ગૌણ કરવા ? આ બધો ખ્યાલ જોઇએ.
ભગવાન ૧૨૫ વર્ષમાં એકે અક્ષર ભણ્યા નથી, તો તેમણે શું કર્યું ? તેઓ પારણાના દિવસે ૨૧ કલાક ધ્યાન કરતા, તે સિવાય ૨૪ કલાક ધ્યાન કરતા. જે શુભધ્યાનમાં ઊતરે તેને પછી બીજે ક્યાંય આનંદ ન આવે. આ ચાર ધ્યાનનો વિષય વિશ્વવ્યાપી છે. ધ્યાનનું ફળ સમાધિ છે. ધ્યાનની પરાકાષ્ઠા આવે ત્યારે સમાધિ આવે. જેના આત્મામાંથી વિકલ્પાત્મક કષાયનો મૂળમાંથી વિચ્છેદ થયો, તેનાથી તે આત્માને સમાધિ મળે.
મોક્ષમાર્ગમાં આવેલ જીવો સમાધિમરણને પામે છે, જ્યારે શુભલેશ્યા તો મોક્ષમાર્ગની બહાર રહેલા જીવો પણ પામી શકે છે. મોક્ષમાર્ગની બહાર રહેલાની
મનોવિજય અને આત્મશુદ્ધિ
૧૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org