SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે, શારીરિક ક્રિયા રુટીન પ્રમાણે ચાલે છે, એટલે હાર્ટ-કીડની ચાલુ છે, માટે તે વખતે તમે શરીરથી સાવ નિષ્ક્રિય નથી. સૂવામાં પણ ટટ્ટાર થઇ સૂઓ ત્યારે કેટલી સક્રિયતા? બેઠા થાઓ ત્યારે? પછી ઊભા થાઓ ત્યારે? પછી ચાલવા લાગી ત્યારે? અને આગળ વધીને ઝડપથી ચાલો ત્યારે ? અને પછી દોડો ત્યારે ? અને મુદ્દીવાળીને દોડો ત્યારે કેટલી સક્રિયતા ? માટે જેમ પુરુષાર્થ વધે તેમ શરીરની સક્રિયતા વધે છે. તેમ ધ્યાનમાં મન-વચન-કાયાના યોગની અતિશય સક્રિયતા છે. અત્યારે તો જીવનમાં આપણે સાવ માંદલા જ ફરતા હોઈએ છીએ. એટલે મન-વચન-કાયાની શક્તિ ઘણી જ આઇડલ પડેલી હોય છે, જ્યારે ધ્યાનમાં શક્તિ આઇડલ પડેલી ન હોય. સભા - ધ્યાનમાં મન-વચન-કાયયોગ કઈ રીતે ? સાહેબજી - ધ્યાનમાં ત્રણે યોગ સતેજ છે. તમે સૂક્ષ્મ વચનયોગને સમજો . કાઉસ્સગ્નમાં લોગસ્સ ગણતા હો ત્યારે હોઠ પણ ફફડાવાય નહિ, જીભ હલાવાય નહિ, માટે તે વખતે વ્યક્ત વાણીનો ઉચ્ચાર ન હોય; પણ અંદરમાં જલ્પરૂપે સૂત્ર ગણો છો ત્યારે, લોગસ્સના શબ્દો આંતરધ્વનિરૂપે પેદા થાય છે, તે તમે પોતે સાંભળી શકો છો; માટે તેનો અર્થ શું કે વાણીનો આંતરિક પ્રયોગ ચાલુ છે. અંદર મધ્યમાં વાણીનો પ્રવાહ ચાલુ છે, તેવી જ રીતે મંત્રાક્ષરોના જાપમાં સૂક્ષ્મ નાદરૂપે ધ્વનિનાં સ્પંદનો પ્રવર્તે છે, તેને આપણે પરાધ્વનિ કહીએ છીએ. આમ, બધા યોગની સૂક્ષ્મ અસરો શાસ્ત્રમાં બતાવી છે. શ્રાવ્ય ધ્વનિ કરતાં અશ્રાવ્ય ધ્વનિની હજારો ગણી તાકાત હોય છે. અત્યારે જોરથી અવાજ કરીને ભીંતમાં તિરાડ પાડવી હોય તો તમે ના કરી શકો. પણ શાસ્ત્રમાં છે કે મહાવીર પ્રભુને કાનમાંથી ખીલા કાઢ્યા તે પ્રબળ ઉપસર્ગ હતો. તેમાં પારાવાર વેદના થઈ છે. તેના જેવી વેદના તેમને જીવનમાં ક્યારેય કોઈ ઉપસર્ગમાં નથી થઈ, પગમાં ખીર રાંધે છે ત્યારે પણ નહિ. પણ આ વેદના વખતે પ્રભુ ધ્યાનમાં છે, છતાં અસહ્ય વેદના થતાં તેમની ચીસ નીકળી ગઈ અને તેનાથી પર્વતની શિલા ફાટી ગઈ, સમુદ્રો ખળભળી ગયા. સ્થૂલ ધ્વનિમાં પણ આટલી તાકાત છે તો સૂક્ષ્મ ધ્વનિમાં તો કઈ ગણી તાકાત છે. જ જ કરી કે * * * * * વોર * * * * * * * * * * * * કે એક વાર તો ર જે ક જ ર ક ક ક ક ક ક ક મનોવિજય અને આત્મશુદ્ધિ ક ક ક ક કે ૧૯૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005185
Book TitleManovijay ane Atmshuddhi
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy