________________
તમે ચોવીસે કલાક ચિંતન પણ કરતા નથી, ઊલટા આડાઅવળા સંકલ્પ-વિકલ્પ જ ચાલતા હોય છે. ચોવીસે કલાક આ જ ચાલુ હોય છે. સંકલ્પ-વિકલ્પના આંદોલનવાળું જ મન હોય છે. આ તો રખડતું મન છે. પવનનાં મોજાંથી પાણી ઊછળતું હોય છે માટે પાણી સ્થિર નથી, બસ, તેવું જ તરલ મન છે; પણ તે વખતે પણ એકાગ્રતા તો હોય છે. એકાગ્રતાનો ગાળો લાંબો નથી હોતો. એક વસ્તુમાંથી તરત બીજી વસ્તુમાં મન જતું હોય છે. આમ, વિષયાંતરના કારણે ચિત્તની ચંચળતા હોય છે, છતાં તેમાં પણ એકાગ્રતા હોય છે. માટે તેને ધ્યાન કહેવું તે બરાબર નથી.
ધ્યાનના ૪ સ્ટેજ - (૧) ચિંતન :
ધ્યાનના (૧) ચિંતન, (૨) ભાવના, (૩) અનુપ્રેક્ષા અને (૪) ધ્યાન આમ ચાર સ્ટેજ છે. આપણે શુભ ચિંતન લેવાનું છે. ધર્મમાં શુભ જ લેવાનું રહેશે. સંસારમાં પણ અશુભ ધ્યાનના સ્ટેજ આ જ પ્રમાણે છે અને તેમાં તો બધા દુનિયાદારી જીવો પસાર થતા હોય છે. એટલે તે કાંઇ સંસારીઓ માટે નવું નથી, પણ શુભચિંતન નવું છે. તમે એક વિષય લઇને તેમાં ઊંડા ઊતરતા જાઓ, ચિંતન કરો, ઊહાપોહ કરો નવો બોધ થયા કરશે. ધારાબદ્ધ વિચારણાને ચિંતન કહેવાય છે. ધ્યાન કરનારને કલાકો સુધી ચિંતન કરવાની પહેલાં ટેવ પાડવી પડશે. તેના વગર ધ્યાનનો ઢાંચો ગોઠવાતો નથી.
પરમાત્મતત્ત્વ લો. સ્વસ્થ બની તેના પર ચિંતન કરો, ઊહાપોહ કરો. તમે થોડો ટાઇમ મનને સૂચના આપો કે મારે પરમાત્માના ગુણોનું, તેમના સ્વરૂપનું ચિંતન કરવું છે. પરમાત્મા કેવા છે ? પરમાત્માના ગુણો કયા છે ? પરમાત્માનું સ્વરૂપ શું છે ? પરમાત્માના ગુણો કઇ માત્રાના છે ? પરમાત્મતત્ત્વ અદ્વિતીય કેમ છે? આમ, એક એક મુદ્દા ઊભા કરો અને તેના ૫૨ ઊંડા ઊતરતા જાઓ. તેનાથી તમને ખ્યાલ આવશે કે તમે એક જ વિષય પર કેટલો ટાઇમ ચિંતન કરી શકો છો.
સભા ઃ- સાહેબજી ! આ બધું ક૨વા અમારી પાસે જ્ઞાન નથી.
સાહેબજી :- તેના માટે જ્ઞાન તો જોઇએ જ. તમે જ્યારે એક શુભ વિષયમાં ધારાબદ્ધ વિચારી પણ ન શકો, તો સમગ્રતાથી મન છવાઇ જાય તે રીતે ધ્યાનમાં કઇ રીતે જઇ શકો ? અત્યારે તમારા મનમાં વિષયનું કોઇ અનુસંધાન નથી હોતું, ગમે તે
************
મનોવિજય અને આત્મશુદ્ધિ
M-૧૩
Jain Education International
For Private & Personal Use Only
૧૮૭
www.jainelibrary.org