________________
કદીપણ શુભલેશ્યામાં જઈ શકે નહિ. તેજોલેશ્યા પામવા માટે પ્રકૃતિમાં નાની નાની બાબતોમાં પણ સરળતા જોઈએ. તમે ઘરમાં પત્ની સાથે પણ શું કરો કે તેને મોટા મોટા વિશ્વાસ આપો, પછી તેની અપેક્ષા અનુસાર થોડું કરીને બહાનાં કાઢો, ઘડીમાં વાત કરીને પાછા ફરી જાઓ. તેમ છોકરાને પણ છાનો રાખવા કહો કે છાનો થઇ જા ફરવા લઈ જઈશ, પણ શાંત થાય પછી ફરી જાઓ. પરંતુ આવી નાની નાની પણ ખોટી પ્રવૃત્તિ તેજોલેશ્યાવાળો કરે નહિ.
સભા - છોકરાને શાંત રાખવા શું કરવું?
સાહેબજી:- તે પણ મારે ભણાવવાનું? તમે તેને આશ્વાસન આપો, લાગણી આપો, વાત્સલ્ય આપો, તેની તકલીફનું નિવારણ કરો. પણ તેને કાંઈ ઊઠાં તો ન જ ભણાવાય ને? ઘણી વખત તો છોકરા બહુ પરેશાન કરે ત્યારે ધમકાવો ને બાવાનો ડર બતાવો ને? જેમ ઘણી વખત શાંત કરવા તમારી ઘડિયાળ આપો, અને પછી રમતાં રમતાં ઘડિયાળ લઈ લો અને કહો બાવો લઈ ગયો. અત્યારે તમે તેને ઊઠાં ભણાવો છો, પછી મોટો થઈને તે તમને ઊઠાં ભણાવશે, બરોબર ને?
સભા - આખું ગામ કેટલુંય આવું બીજું બધું ખોટું કરતું હોય છે, તો શું કરવું?
સાહેબજી - પહેલાં તમે તમારા પર બ્રેક લગાવો. તમે કાંઈ આખા ગામના ગુરુ છો? જે વ્યક્તિ નાયકના સ્થાન પર હોય તો તેને બીજાને સુધારવાની જવાબદારી આવે છે. હા, તમારા ઘરમાં કોઇ ખોટી પ્રવૃત્તિ કરતા હોય તેને સુધારવાની તમારી જવાબદારી ખરી, કારણ તમે કુટુંબના વડીલ છો; પણ આખા ગામને સુધારવાની જવાબદારી તમારી નથી. ટ્રાફિકના નિયમને તમે હાથમાં લો તો ચાલે ખરું? સંસારમાં પણ વ્યવહાર કઈ રીતના હોય છે તે સમજવાનું છે. તમારા હાથ નીચે જેટલા હોય તે ખોટું કરે તેને અટકાવવાની તમારી જવાબદારી ખરી, પણ આખા ગામની નહિ.
સભા - ઘરમાં નોકર કાંઈ ખોટું કામ કરે તો અમને પાપ લાગે?
સાહેબજી:- હા, ઘરમાં નોકર ખોટું કામ કરે તેનું પાપ શેઠને પણ લાગે. તમારો દીકરો પણ કાંઈ ખોટું કામ કરે તો તમને પાપ લાગે. ત્યારે તમારે રોકવો જોઇએ, ને ન રોકો તો પાપ લાગે. જેમ શિષ્ય અધર્મના માર્ગે જતો હોય તો ગુરુએ રોકવો જોઇએ, ન રોકે તો તેમને પાપ લાગે. પણ આખા સંઘમાં બીજા કોઇ સાધુ કાંઇ અયોગ્ય કરતા હોય, તો અમને પાપ ન લાગે. અમારી જવાબદારી અમારા શિષ્ય પરિવાર માટે હોય છે.
૧૮૨
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org