________________
તા. ૧૦-૯-૯૫, રવિવાર.
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને આત્મતત્ત્વનો . સમ્યગ્ વિવેક કરાવવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
આ જડ જગતમાં જીવ સાથે તાદાત્મ્ય ધરાવનારો પદાર્થ દેહ છે. જીવ જન્મે છે ત્યારથી દેહમાં એટલો ઓતપ્રોત થાય છે કે તેનું જે જુદું અસ્તિત્વ છે તે જ ભુલાઇ ગયું છે. જેમ કે માખીના ભવમાં ગયા, કીડીના ભવમાં ગયા, કૂતરા-બિલાડાના ભવમાં ગયા, જે પ્રકારનું શરીર મળ્યું, જીવન મળ્યું તેમાં ઓતપ્રોત થઇ ગયા; પરંતુ ભિન્ન એવા આત્માનો સમજદારીયુક્ત ભવમાં પણ જરાય વિચાર કર્યો નહિ. જે જીવ ધર્મને અભિમુખ થાય છે તેને તો દુનિયાના બધા ધર્મો દેહથી આત્મા ભિન્ન છે તેવી વાત કરે છે, પણ આ સત્ય જો જીવને આરપાર સમજાઇ જાય તો સાધનામાં પ્રચંડ વેગ પેદા થાય.
૯
મન અને આત્મા પણ એક નથી, જુદાં છે ઃ
હવે જરા આગળ વધીએ તો દેહથી આત્માને જુદો સમજવો સહેલો છે, ઇન્દ્રિયથી પણ આત્મા જુદો છે તે સમજવું પણ સહેલુ છે; પરંતુ મન અને આત્માનો ભેદ સમજવો ઘણો જ મુશ્કેલ છે. મોટા મોટા દર્શનકારો પણ મન અને આત્માનો ભેદ સમજવામાં ગોથું ખાઇ ગયા છે. ઘણા ધર્મોએ આત્મામાં મન ઘુસાડ્યું છે, ઘણા ધર્મોએ મનમાં આત્મા ઘુસાડ્યો છે, પરંતુ જૈનદર્શને આત્મા અને મન ભિન્ન છે તેની સ્પષ્ટ વિચારણા કરી છે. આ બન્ને સ્વતંત્ર છે. બંનેનાં સ્વરૂપ, સુખ, શુદ્ધિ બધાંને જ જુદાં પાડીને જૈનદર્શને બતાવ્યાં છે. ચિત્તની શુદ્ધિ જુદી વસ્તુ છે, આત્માની શુદ્ધિ જુદી વસ્તુ છે; મનનું સુખ જુદું છે, આત્માનું સુખ જુદું છે.
ચિત્તશુદ્ધિથી પણ આપણું સાધ્ય છે આત્મશુદ્ધિ :
સભા ઃ- મનશુદ્ધિ, ચિત્તશુદ્ધિ એ જ આત્મશુદ્ધિ ?
સાહેબજી :- ના, મનની શુદ્ધિ આત્માની શુદ્ધિ માટેનું સાધન બને, પણ બન્ને એક નથી. કોઇ ઠેકાણે ચિત્ત શબ્દ વપરાય છે, કોઇ ઠેકાણે મગજ, બુદ્ધિ, મન શબ્દ વપરાય છે; પર્યાયવાચી
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
૧૨૧
www.jainelibrary.org