SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૫ તા.૩૦-૮-૯૮ રવિવાર,ભાદરવા સુદ ૮. અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્ર આ દુઃખમય સંસારમાંથી મુક્ત થઇ, અનંત સુખમય એવા મોક્ષપદને પ્રાપ્ત કરે તે માટે, આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. ૭૫ હવે ગ્રંથકાર શ્રી ઉમાસ્વાતિજી મહારાજ આશ્રવ બે પ્રકારે બતાવે છે. (૧)શુભાશ્રવ અને (૨) અશુભાશ્રવ. મન-વચન-કાયાના યોગનું પ્રવર્તન જો શુભ હોય તો શુભાશ્રવ થાય છે અને જો મન-વર્ચન-કાયાના યોગનું પ્રવર્તન અશુભ હોય તો અશુભાશ્રવ થાય છે. સંસારની પ્રવૃત્તિ છે તે અશુભાશ્રવનું કારણ છે, જ્યારે તેનાથી વિરુદ્ધની ધર્મની પ્રવૃત્તિ છે તે શુભાશ્રવનું કારણ છે. હવે વ્યાકરણના નિયમ પ્રમાણે પહેલાં શુભાશ્રવ અને પછી અશુભાશ્રવનું વર્ણન આવે, પણ અહીંયાં ગ્રંથકારે વ્યુત્ક્રમ કર્યો છે. માટે શિષ્યે પ્રશ્ન કર્યો કે આમ કરવાનું કારણ શુ ? તો ગ્રંથકાર ફરમાવે છે કે, ખરેખર જીવોને સંસારથી વિરક્ત કરવાના છે, તે માટે પહેલાં અશુભાશ્રવનું વર્ણન ક૨વું, કે જેથી તેનાથી આવતાં દુઃખોનું વર્ણન સાંભળી જીવો નિર્વેદ પામે. ધર્મ કરીને અશુભ અનુબંધ ન પડે અને ધર્મ સંસારના પરિભ્રમણનું કારણ ન બને તે તેમનો ઉદ્દેશ છે. અનુબંધ આખી સાધનાની મુખ્ય આધારશીલા છે. ધર્મ કરીને શુભબંધ સાથે અનુબંધ અશુભ ન પડવો જોઇએ. સભા:- જો મન-વચન-કાયાના યોગ શુભ હોય તો બંધ શુભ પડે, છતાં અનુબંધ અશુભ, તે કઇ રીતે ? Jain Education International સાહેબજી:- શુભયોગ વખતે જીવ ગુણોનું સેવન કરે છે.મન-વચન-કાયાની શુભ પ્રવૃત્તિ તે શુભ બંધનું કારણ છે, પણ શુભ અનુબંધનું તે કારણ ન પણ હોય. આવો ધર્મ જીવ અનંતીવાર કર્યા કરે છે પણ તે નિષ્ફળ જાય છે, યાને કે મોક્ષ આપી શકતો નથી. આવા ધર્મથી ખાલી અભ્યુદય થાય પણ તે ધર્મ મોક્ષનું કારણ બનતો નથી. ધર્મનું મુખ્ય ફળ મોક્ષ આપવાનું છે, સંસારનાં સુખો મેળવી આપવાં તે ધર્મનું આનુષંગિક કાર્ય છે. તમે A-6 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy