SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧૭૭ માન તે આંતરિક નશા જેવું છે અને તેનું મારણ નમ્રતાથી જવાનું છે. (3માયા : ગુમ પાપાચરણ, કૂડકપટ, બીજાને ઠગવા, હૃદયના ભાવને છુપાવવો, પોતાના સ્વાર્થ માટે ગાંડામાં ગણાવું, મૂર્ખની ચેષ્ટા કરવી, ગુપ્ત આચરણ, શઠબુદ્ધિ, વિશ્વાસઘાત, બહારનો દેખાવ કૃત્રિમ કરવો, બીજાને ઠગવાની યુક્તિઓ કરવી, બીજા ઉપર તરાપ મારવાનો પ્રપંચ કરવો, શબ્દની મીઠાશ રાખી વિપરીત વર્તન કરવું, વગેરેનો માયામાં સમાવેશ થાય છે માયા તે આંતરિક અભિનય સમાન છે અને તેનું મારણ સરળતાથી ક્રવાનું છે. (૪) લોભ એકઠું કરવાનો સ્વભાવ, કઠોરતા, અતિ મમતા, કૃપણતા, છતી સામગ્રીએ ભૂખ્યા રહેવું, ત્રણ લોકની વસ્તુ પોતાને મળી જાય તો સારું એમ ઇચ્છવું વગેરે લોભનાં રૂપો લોભ તે આંતરિક ભૂખ સમાન છે અને તેનું મારણ સંતોષ ગુણથી ક્રવાનું છે. કષાયોની ગુણવત્તા, યોગ્યતા ને તેના આંતર પરિણામ-સ્વરૂપને આધારે દરેકના ચાર ચાર ભેદ થાય છે, તે કપાયોની ચાર જાતિ નીચે પ્રમાણે જાણવી. (૧) અનંતાનુબંધી યાને કે જેનાથી અનંત સંસારનો અનુબંધ થાય; તેવા ક્રોધ, માન, માયા અને લોભ. તે સમકિતને અટકાવે. (૨) અપ્રત્યાખ્યાની યાને કે જેનાથી ભાવથી અલ્પ પણ પચ્ચખાણ થઇ ન શકે; તેવા ક્રોધ, માન, માયા અને લોભ તે દેશવિરતિને અટકાવે. (3) પ્રત્યાખ્યાની યાને કે જેનાથી ભાવથી સર્વવિરતિરૂપ પચ્ચખ્ખાણ થઇ શકે નહીં; તેવા ક્રોધ, માન, માયા અને લોભ. તે સર્વવિરતિને અટકાવે (૪) સંજ્વલન યાને કે જે ચારિત્રમાં કાંઇક લાગે, ચારિત્રમાં અતિચાર લગાડે; તેવા ક્રોધ, માન, માયા અને લોભ તે યથાપ્યાત ચારિત્રને અટકાવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy