SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૧૫૫ ગુણ સેવો, તે મોક્ષનું સાધન બની શકતા નથી. બધા ગુણોને મોક્ષસાધક બનાવનાર આ બે પાયાના ગુણો છે. નિર્વેદ સંસારબીજનો નાશ કરે છે અને સંવેગ નિર્વાણબીજનું આધાન કરે છે. નિર્વેદ વગર સંવેગ સંભવે નહીં. બીજ બળી જાય તો વૃક્ષ ઊગી ન શકે, જયાં સુધી જીવ નિર્વેદ ન પામે ત્યાં સુધી તેના સંસારરૂપી બીજનો અંશમાત્ર પણ નાશ થતો નથી; જેના પરિણામે સંસારથી વિરામ પસાતો જ નથી. જ્યાં સુધી આ બીજ બળે નહીં, અને તમે ગુણનું સેવન કર્યા કરો તો શું થાય? ખાલી અભ્યદય થાય; પણ પરિણામ શું? સંસારવૃદ્ધિ જ ને! માટે સમજી જ રાખો કે પહેલાં નકારાત્મક જાય (સંસારબીજનો નાશ થાય), પછી જ હકારાત્મક આવે (મોક્ષબીજનું આધાન થાય). તમારા આત્માનો જે મૂળ સ્વભાવ(ગુણો) છે, તે અત્યારે આ સોળ કષાયોથી પૂરેપૂરો આવૃત્ત થયેલો છે. મિથ્યાત્વમોહનીયના કારણે વિપર્યા છે, તે આત્માને સત્ય વસ્તુનું ભાન જ થવા દેતો નથી. દર્શનમોહનીયની મંદતા વિના સેવાતા ગુણો પણ દોષરૂપ બને છે. તેની દેખીતી પ્રમાણિકતા પણ તત્ત્વથી અપ્રમાણિકતા છે. કર્મ નચાવે તેમ તું નાચે છે, તે બોલાવે તે બોલે છે, માને છે; જેમ કમળાના દર્દીને બધું પીળું દેખાય છે, તેમાં તે ભલે કહે કે હું સાચું બોલું છું, પણ બધું પીળું નથી તે પણ હકીકત છે. તે કહે પીળું છે, એટલે કાંઈ વસ્તુનું સ્વરૂપ થોડું બદલાઇ જાય? તે કહે મારો Conscious (આત્મા) આમ જ કહે છે, પણ તેથી શું? સંનિપાતના રોગીઓ ત્રિદોષના હુમલા નીચે છે અને જે વલોપાત કરે છે તેમાં તથ્ય શું? જેનાં કર્મનાં પડલ ખયાં હોય, તેનો Conscious (આત્મા) પ્રમાણભૂત ગણાય. તમે અત્યારે મિથ્યાત્વમોહનીયના Spell (જાદુઈ અસર કે આકર્ષણ કે ઇંદ્રજાળ કે વશીકરણ) નીચે છો, માટે invalid (અપ્રમાણભૂત) છો. તમને કદી Authority (પ્રમાણભૂત) ન માની શકાય. ખુદ તીર્થકરો પણ જ્યાં સુધી દર્શનમોહનીયનો ક્ષયોપશમ ન કરે ત્યાં સુધી invalid છે. Rule is equal for all(નિયમ બધા માટે સરખો છે). માટે તમે જયાં સુધી ઉપલી ભૂમિકાને સર ન કરો, ત્યાં સુધી તીર્થકરોને સમર્પિત બનો. મને આમ લાગે છે ને મને એમ લાગે છે તેમ જ કર્યા કરશો તો ઠેકાણું નહીં પડે. મોક્ષ સાથેની રુચિથી જ મોક્ષ સાથે કાર્યકારણભાવ ગોઠવાય. પાલનરૂપ ધર્મનો પાયો પણ રુચિ જ છે. પાલનને સાર્થક કરનાર પણ રુચિ છે. માટે જ વ્યવહારનય દર્શનમોહનીયના ક્ષયોપશમને મહત્ત્વ આપે છે. સભા- ધર્મ મોક્ષ માટે જ કરવાનો ને? સંસાર માટે તો ધર્મ ન જ થાય ને? સાહેબજી:-ના, ન જ થાય. કેટલી વાર કહું? બોલો. સંસાર માટે ધર્મ કરી કરીને તો અત્યાર સુધી દાટ વાળ્યો છે. સંજ્ઞારૂપ ધર્મ ન જોઇએ તે હું કહું છું તે શું છે ? તે તે જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy