SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ સયલ સંસારી ઇન્દ્રિયરામી, મુનિ ગુણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કેવળ નિકામી છે. શ્રી. ૨ નિજસ્વરૂપે જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ લહિયે રે; જે કિરિયા કરી ઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહિયે રે. શ્રી. ૩ નામઅધ્યાતમ ઠવણઅધ્યાતમ, દ્રવ્યઅધ્યાતમ છેડે રે; ભાવઅધ્યાતમ નિજ ગુણ સાધે, તે તેહશું રઢ મડે છે. શ્રી ૪ શબ્દ અધ્યાતમ અરથ સુણીને, નિર્વિકલ્પ આદરજો રે; શબ્દ અધ્યાતમ ભજના જાણી, કાન ગ્રહણ મતિ ધરજે રે. શ્રી. ૫ અધ્યાતમ જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મતવાસી રે. શ્રી. ૬ ૧૨ શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન રાગ ગાડી તથા પરિજિયોનુંગિયાગિરિ શિખર સેહેએ દેશી. વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી, ઘનનામી પરિણામી રે; નિરાકાર સાકાર સચેતન, કરમ કરમફલ કામી રે. વાસુ. ૧ નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદગ્રાહક સાકારે રે; દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુગ્રહણ વ્યાપારે રે. વાસુ. ૨ કર્તા પરિણામી પરિણામે, કમ જે જીવે કરિયે રે; એક અનેક રૂપ નયવાદે, નિયતે નય અનુસરિયે રે. વાસુ૩ દુઃખ સુખરૂપ કરમફલ જાણો, નિશ્ચય એક આનંદ રે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદે રે. વાસુ. ૪ પરિણામી ચેતન પરિણામે, જ્ઞાન કરમફલ ભાવી રે; જ્ઞાન કરમફલ ચેતન કહિયે, લેજે તેહ મનાવી છે. વાસુદ ૫ આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે, વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મત સંગી રે. વાસુ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005180
Book TitleAnandghan Padya Ratnavali
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy