SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રીપાલ કથા દને સમૂહ જેમણે એવા, ભામંડલથી શોભી રહ્યા છે એવા હે શ્રી ઋષભદેવ પ્રભુ! અમારા પર સ્વામીપણું ધારણ કરીને અમારા દુઃખરૂપી દાવાનલ દૂર કરે. (શ્રીપાલના અર્થમાં મારા પતિ–સ્વામી–ને ઉત્પન્ન થએલ કઢરૂપી બળતરાનું દુઃખ દૂર કરે.) આવા ગુણેવાળા ત્રણે ભુવનમાં સૂર્યસમાન, વળી ત્રણે જગતના વિજયની લક્ષમીનું પાલન કરનારા, કામદેવના શત્રુ સમાન અને મોક્ષ ગતિમાં ગએલા એવા હે શ્રીષભદેવ પ્રભુ ! મારા મનના મારથ પૂર્ણ કરે (લેષાર્થ– મયણાનું હિત કરનારા એવા હે પ્રભુ ! મારા પતિ શ્રીપાલના મનવાંછિત પૂર્ણ કરે.)” આ પ્રમાણે સમાધિમાં લીન થએલી મયણાસુંદરી જેવી પ્રભુની સ્તુતિ કરે છે, તેવામાં પ્રભુના હાથમાં રહેલા બીરા સહિત પ્રભુના કંઠમાંની ઉત્તમ ફૂલની માળા ઉછળી. તે વખતે મયણાસુંદરીના કહેવાથી ઉંબરાણાએ તે બીજોરાનું ફલ લીધું, અને મયણાસુંદરીએ આનંદ યુક્ત હૃદયથી તે ફૂલોની માળા ગ્રહણ કરી. પછી તે બેલી કેઃ “હે સ્વામી ! આપણા શરીરને રોગ હવે દૂર થશે, કારણ કે આ બનાવ શ્રીજિનેશ્વર પ્રભુ (ના અધિષ્ઠાયકે) એ કરેલી કૃપાને સૂચવનારો છે.” પછી તે મયણાસુંદરી, પિતાના પતિ સહિત શ્રી મુનિચંદ્ર નામના ગુરુ મહારાજ પાસે પહોંચી. ત્યાં પહોંચીને પ્રમુદિત મનવાળી મયણાસુંદરી ભક્તિપૂર્વક ગુરુ મહારાજના ચરણમાં * “શ્રીપાલ રાસમાં આ બંને વસ્તુઓ ઉંબરાણાએ લીધી એમ જણાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy