SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રીપાલ કથા. તે સાંભળી મુનિ મહારાજે કહ્યું કેઃ “હે ભદ્ર! રાજાએ ઘણાં પાપ કર્યો છે, કારણ કે સાધુને ઉપસર્ગ કરવાથી સર્વ ગુણોને વિનાશ થાય છે. તથાપિ દુષ્કર્મ કરનારા અને પણ જે ભાવને ઉલ્લાસ થાય , તે સર્વ દુષ્કર્મોને એક ક્ષણવારમાં જ વિનાશ થઈ જાય છે. ભાવના ઉલ્લાસ માટે અરિહંત વગેરે પ્રસિદ્ધ એવા સિદ્ધચક્રજીનું આરાધન કરવાનું, ભવ્ય જીને મુનિશ્વરેએ ઉપદેશેલું છે. આ રાજા પણ જે તે સિદ્ધચક્રજીની આરાધના સમ્યક પ્રકારે કરે, તો તે પણ સર્વ પાપથી છૂટી જાય, તેમાં શંકાને જરાએ સ્થાન નથી.” - તે સાંભળી રાજાએ શ્રી સિદ્ધચક્રજીની પૂજા તથા તેની તપશ્ચર્યા વગેરેનું જ્ઞાન મેળવીને, શ્રીમતી રાણી સહિત ભક્તિપૂર્વક શ્રીસિદ્ધચક્રજીનું આરાધન કર્યું. પછી સિદ્ધચકજીને તપ સંપૂર્ણ થયા બાદ રાજાએ તેનું ઉજમણું કર્યું. તે ઉજમણાની તથા તપશ્ચર્યાની રાણી શ્રીમતીની આઠ સખી એાએ અનુમોદના કરી હતી. પેલા સાત દુષ્ટ ઉલઠોએ પણુ રાજા તથા રાણીની ધર્મકરણ જેઈને, ક્ષણ માત્ર તેની છેડી પ્રશંસા કરી. એક દિવસે રાજાના આદેશથી સિંહ નામના રાજાના એક ગામને લૂંટીને જોવામાં તે સાત સેવકે ગોધન ગ્રહણ કરીને લઈને પાછા વળતા હતા, તેવામાં ઘણા લશ્કરવાળે તથા ભયંકર ભુજબળવાળે તે સિંહ રાજા તેની પાછળ આવી પહોંચે, તથા તેણે કે પાયમાન થઈને તે ધાડ પાડનાર સર્વ માણસને મારી નાખ્યા. તે બધા મરણ પામીને (તપની અનુમોદના કર્યાના પુણ્યથી) ક્ષત્રિયવંશમાં ઉત્પન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy