SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ શ્રી શ્રીપાલ કથા કરી. વળી કેશાંબી નગરીથી ધવલશેઠના પુત્ર વિમલને બોલાવીને, તેને સુવર્ણપટ્ટ બંધાવીને શ્રીપાલરાજાએ નગરશેઠ તરીકે સ્થાપન કર્યો. વળી, જિનમંદિરમાં વિધિપૂર્વક અઠ્ઠાઈ મહોત્સવે કરાવ્યા અને શ્રી સિદ્ધચકજીની પરમ ભક્તિ કરાવરાવી. વળી, જગાજગાએ ઉંચાં શિખરવાળા જિનમંદિર બંધાવ્યાં. અમારી પડહ વગડાવ્યા, તથા યાચકેને દાન દેવરાવ્યાં. આવી રીતે શ્રીપાલરાજા ન્યાયપૂર્વક રાજય કરતા, પોતાની સ્ત્રીઓ સાથે ઈંદ્રની માફક કીડા કરતા હતા. તે ઉત્તમ ચારિત્રધારી એવા અજિતસેન રાજર્ષિ અવધિજ્ઞાન ઉત્પન્ન થયા બાદ તે જ નગરીમાં વિહાર કરતા કરતા પધાર્યા. તેઓશ્રીનું આગમન સાંભળીને આનંદથી રોમાંચિત થએલા એવા શ્રીપાલરાજા પિતાના માતા તથા નવે સ્ત્રીઓ સહિત વંદન કરવા માટે ગયા (જૂઓ ચિત્ર ૧૧૭–૧૧૮). તે મુનિશ્વરને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક નમસ્કાર કરીને – વંદન કરીને – પરિવાર સાથે વિનયપૂર્વક તેઓશ્રીની પાસે બેઠા. તે વખતે રાગ, દ્વેષ રહિત તથા એક માત્ર ઉપકાર કરવામાં જ તત્પર એવા તે અજિતસેન મુનિરાજ પણ આ પ્રમાણે ધર્મનું સ્વરૂપ કહેવા લાગ્યાઃ “હે ભવ્યજને ! આ સંસારમાં ૧ ચુલ્લગ, ૨ પાસગ, ૩ ધન, ૪ જૂઆ, પ રત્ન, ૬ સુમિણ, ૭ ચક, ૮ કૂર્મ, ૯ યુગ, અને ૧૦ પરમાણુ વગેરે દશ દષ્ટાંતથી સિદ્ધાંતમાં મનુષ્ય જનમની દુર્લભતા વર્ણવેલી છે. કેઈ પુણ્યથી મનુષ્ય જનમ પ્રાપ્ત થઈ જાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy