SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧પ પુણ્યની પ્રબળતા વેશવાલે, વળી જેનાં મુખ અને નેત્ર પ્રસન્ન છે, એ કેઈક પુરુષ મનહર ઘોડા ઉપર બેસીને ત્યાં આવ્યું. તે પિતાની સાથેના ઘણા પરિવાર સહિત શ્રીપાલકુમારના તંબૂના દરવાજા પાસે આવ્યો. તે ત્યાં જોવામાં નાટક જેવા લાગે, કે તરત જ શ્રીપાલે તેને બેલા. તેણે પણ કુમારને પ્રણામ કર્યા. કુમારે પણ તેને આસન આપીને તેનું સન્માન કર્યું. તે પણ વિનયમાં તત્પર થઈને વિશ્વાસપૂર્વક કુમારની પાસે બેઠે. દેવતાઈ નાટક જેવું તે નાટક ક્ષણવાર જોઈને તે પુરુષ વિચાર કરવા લાગે કે, આ ઠાઠમાઠથી આ કઈ રાજકુમાર હોય તેમ લાગે છે. | નાટક સંપૂર્ણ થયા પછી કુમારે તેણે પૂછયું કેઃ “હે ભદ્ર! તમે કેણ છો? કયા નગરના રહેવાસી છો? તમોએ કાંઈપણ આશ્ચર્ય જોયું છે ?? (જૂઓ ચિત્ર ૪). તે પુરુષ વિનયમાં તત્પર થઈને કુમારને કહેવા લાગ્યા કેઃ “હે દેવ! આ દ્વીપમાં વલયાકારવાળ-ગોળ-અને મેટાં શિખરવાળ રત્નસાનુ નામને પર્વત છે. તે પર્વતની મધ્યમાં વસેલી એવી રત્નસંચયા નામની નગરી છે. તે નગરમાં કનકકેતુ નામને રાજા રાજ્ય કરે છે. તેને કનકમાલાઝ નામની રાણી છે. તેણીની કુક્ષિથી ઉત્પન્ન થએલા કનકપ્રભ, કનકશેખર, કનકધ્વજ તથા કનકરથ નામના ચાર પુત્ર, અને તે ઉપરાંત સકલ કલાઓની જાણકાર તથા * “શ્રીપાલ રાસ’માં રાણીનું નામ રત્નમાલા આપેલું છે. * કેટલીક પ્રતિમાં કનકરૂચિ નામ પણ જોવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy