________________
(૫) હાલમાં તે આ કથામંજરીના બાર ભાગો દર વરસે ત્રણના હિસાબે પ્રસિદ્ધ કરવાની યેજના છે. ચાલુ વર્ષમાં પહેલા ભાગમાં ૭૫ નીતિકથાઓ અને ૧૩૨ રેખાચિત્ર તથા આ બીજા ભાગમાં ૫૯ ધમથાઓ અને ૨૨ ચિત્રો પ્રસિદ્ધ થઈ ગએલ છે અને ત્રીજા ભાગ તરીકે “સિરિસિરિ વાલ કહા”નું અક્ષરશઃ ગુજરાતી ભાષાંતર તેના વિસ્તૃત વિવેચન સાથે “તપસ્થા” તરીકે આપવાનું નક્કી કરવામાં આવેલ છે. “શ્રીપાલ સ્થા”માં તે કેટલાંક ચિત્રો રંગીન પણ આપવા પ્રયત્ન કરવામાં આવશે.
પહેલા ભાગમાં જણાવ્યા પ્રમાણે આ બીજા ભાગની પણ કિંમત લગભગ પડતર જ રાખવામાં આવેલી છે; અને જે જાહેર જનતા મારા આ પ્રકાશનોની નકલો સારા પ્રમાણમાં ખરીદીને મારી આ નવી પ્રવૃત્તિને ઉત્તેજન આપશે તે, આવતા વરસે વધારે નકલે છપાવીને બને તેટલી ઓછી કિંમત રાખવામાં આવશે. ઓછી કિંમત રાખવાનું અમલમાં તો જ મૂકી શકાય તેમ છે કે જનતા જેમ બને તેમ મારા આ પ્રકાશનેની નકલો જલદી ખરીદ કરીને મને ઉત્તેજન આપે.
રસપ્રિય હોય તેવા જનો માટે વાંચવા લાયક રસના અવતરણ રૂપ આ ટૂંકી કથાઓને સંગ્રહ ત્યાગી એવા જૈન મુનિવરેએ રચેલો છે.
ચારે વિદ્યાઓ કેળવવામાં કુશળ એવા મુનિઓના ઉપદેશમાં આ કથાઓ સેનેરી પુષ્પની માળા જેવી ઉત્તમ સુગંધી આપનારી થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org