________________
૨૩ર
કથામંજરી-૨ પુત્રે પૂછ્યું કે “તે કોણ હતી?” તેણે કહ્યું કે“વત્સ! તેની કથા સાંભળઃ
પષ્ણવી સ્ત્રીની કથા કર્ણિકાર નગરમાં મુકુંદ નામના દેવ એક મંદિરમાં સ્થાપન કરેલા હતા. તે દેવની ઉપાસના ઘણી સ્ત્રીઓ માસામાં કરતી હતી, અને તેની ઉપાસના માટે સ્ત્રીઓ મહિનાના ઉપવાસ કરતી હતી. તેમાં એક સ્ત્રી પાડી હતી, તેનાથી ભૂખ્યું રહી શકાતું નહિ, અને તેણીને પિતાનું જીવન બહુ જ વહાલું હતું, તેથી તે દિવસે ઉપવાસ કરતી અને રાત્રે ચૂરમું ખાતી હતી.
એક વખતે રાત્રે તેણીને ચૂરમું ખાતી દેખીને મુકુંદ દેવે પૂછ્યું કે “અરે સ્ત્રી! તું બહુ માયાકપટી દેખાય છે; કારણ કે તું લેકેના દેખતાં મહિનાના ઉપવાસ કરવાનું પચ્ચખાણ લે છે અને દરરોજ રાત્રે ખાય છે.”
તે સાંભળીને તે સ્ત્રીએ કહ્યું કે –“દેવ! જેવા તમે અમારા સ્વામી માયાવી છે, તેવા જ અમે તમારા સેવક માયાવી છિએ.”
મુકુંદે તે વાત સાંભળીને પૂછયું કે-“કેવી રીતે માયાવી છું.”
વૈષ્ણવી સ્ત્રીએ કહ્યું કે-“તમે આખા જગતને કહે છે કે “વર્ષાઋતુમાં અમે પાતાલમાં શયન કરીએ છિએ. તેમ કહીને રાતનાં તે લોકોનાં ચરિત્રો જેવા નીકળે છે, અને તે નિમિત્તે જાગરણ કરે છે, તેથી “બેલ છે કાંઈ અને કરે છે કાંઈ આ તમારું માયાકપટપણું પ્રત્યક્ષ દેખાય છે, તેથી માયાકપટ કરનારા તમે જેવા અમારા સ્વામી, તેવા જ માયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org