________________
૮૮
કથામંજરી રક્ષણ કરવા માટે રીંગણા ઉપર ઢાંકણાની પ્રભુએ રચના કરી છે.” રાજા તે સાંભળીને રાજી થયે.
થોડા દિવસ ગયા પછી મસાલે વગેરે બરાબર નહિ હોવાથી અથવા બીજે કાંઈ ચિત્ત હોવાથી તે જ રઈયાએ રાંધેલા રીંગણ રાજાને ભાવ્યા નહિ, ત્યારે રાજાએ તે જ મંત્રી પાસે રીંગણાની બહુ નિંદા કરી અને કહ્યું કે “રસ વગરના આ રીંગણાને ધિક્કાર છે. મંત્રીએ તે સાંભળીને ખુશામતીઆ સ્વભાવને લીધે કહ્યું કે “મહારાજ! પ્રભુએ આ વસ્તુ ખાવા માટે બનાવી જ નથી; તે તે ફક્ત ડીંટીયાથી પકડીને અહીં તહીં ઉડાડવા અને રમાડવા માટે જ બનાવેલ છે.”
રાજાને તે મંત્રીના પહેલાં કહેલાં વચને યાદ હતાં, તેથી આવાં વિરૂદ્ધ વચને સાંભળીને ચિત્તમાં ચમત્કાર પામી કહ્યું કે પ્રથમ તે તમે તેની સ્તુતિ કરી હતી, અને હવે નિંદા કેમ કરે છે ?”
મંત્રીએ કહ્યું કેઃ “મહારાજ! મેં કાંઈ રીંગણાને સ્વાદ લીધે નથી, પણ તમે લીધે છે; હું તો માત્ર આપની રૂચિ અનુસાર જ બોલું છું.”
રાજાએ કહ્યું કે “ખરેખર! સેવાધર્મ એ જ છે. જે મંત્રી ખુશામતીઆ વચને બેલવામાં ચતુર હોય, લેકેનું ધન ગ્રહણ કરવાના કાર્યમાં હોંશિયાર હોય અને ભેટ વગેરે આપી શકે તે હોય, તે મંત્રી જ રાજાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org