SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવી વૃદ્ધના બુદ્ધિશાળીપણની કથા ૭૯ કેઃ “કેઈ પણ મંત્રી, શેઠ, બ્રાહ્મણ કે દરબારી માણસ, જે કઈ વૃદ્ધ હોય તેને રાજદરબારમાં દાખલ થવા દે નહિ.” રાજાને આ હુકમ થવાથી ત્યાર પછી કઈ પણ વૃદ્ધ રાજ દરબારમાં પ્રવેશ કરતે નહોતે, યુવાને તે આવા હુકમથી રાજસત્તા મળવાથી અભિમાન ધારણ કરીને, તગતગતી તલવારો હાથમાં લઈ, પાન ચાવતાં ઉંચા મસ્તક રાખીને રાજા પાસે રહેતા હતા, અને રાજ્યની તમામ સત્તા ધારણ કરી લીધી હતી. એક વખતે રાત્રે સૂતાં સૂતાં રાજાને વિચાર આવ્યું કે “આ યુવાનના કથનથી મેં તેમને જ મારી પાસે રાખ્યા છે, તેમની જ સલાહ લઉં છું; અને વૃદ્ધોને દૂર કર્યા છે, તેથી કદાચ કોઈ મોટો શત્રુ ચઢાઈ કરશે તે આ યુવાને મને સલાહ આપી શકશે કે નહિ? આ બાબતની પ્રથમથી જ મારે પરીક્ષા કરવી જોઈએ.” આવો વિચાર કરીને સવારે સેવા માટે આવતા તે તરુણાને રાજાએ પૂછ્યું કે “અરે ભાઈઓ! જે મને પિતાના પગ વડે મારે તેને શી શિક્ષા કરવી જોઈએ? મદથી ઉન્મત્ત થએલા, ઉંચું મુખ રાખીને જ ચાલતા તેઓએ ઉત્તર આપ્યો કે “મહારાજ! તેના ખંડ ખંડ ટુકડા કરી નાખવા જોઈએ.” રાજાએ તે વાત સ્વીકારી નહિ. મધ્યાન્હ સમયે તેઓને વિસર્જન કર્યા. તેઓ ભેજન માટે પિતાપિતાના ઘેર ગયા. એક યુવાનને વૃદ્ધ દાદે હતું, તે પોત્ર ઉપરના પ્રેમના લીધે, જ્યારે પત્ર ખાતે ત્યાર પછી જ ખાતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005177
Book TitleKatha Manjari Part 01
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy