________________
૨૬
કથામંજરી
વિશિષ્ટ પ્રકારનું લાકડું લેવા તે એકલે વનમાં ગયા. એક સુંદર વૃક્ષ જોઇને તે કાપવા લાગ્યા. તે વખતે તેની અંદર રહેનાર એક વ્યંતર પ્રત્યક્ષ થઈને અંજલિ જોડી વિનય પૂર્વક કહેવા લાગ્યા કેઃ “હે શેઠ! મારા રહેવાના સ્થાનરૂપ આ ઝાડને તું છેદીશ નહિ. ચિંતામણિ રત્નની માફક હું તારા સર્વ મનોવાંછિત પૂરીશ. જ્યારે તું મને કાંઇ પણ કામ આપીશ નહિ, ત્યારે હું તારા છળ કરીશ.”
શેઠે કહ્યું કે: “ભલે તેમ કરજે” પછી વ્યંતરની સાથે તે પેાતાના ઘેર ગયા.
તેણે વ્યંતરને હુકમ કર્યો કે: “મારા માટે ઉંચા માળવાળા એક સુંદર મહેલ તૈયાર કરી આપ.” વ્યંતરે તે તરત કરી આપ્યા.
પછી તે ઘર માટે ધન, વસ્ત્ર, ધાન્ય, સુગંધી દ્રવ્યે, કપૂર વગેરે સર્વ વસ્તુએ લાવવાને તેણે હુકમ કર્યો, તે સર્વ વ્યંતરે લાવી આપ્યું.
તેનું વચન ખરાખર સંભાળી રાખનાર શેઠે જ્યારે કાંઇ કામ બાકી રહ્યું નહિ, ત્યારે તે વ્યંતરને હુકમ કર્યો કે: “એક પર્વત જેટલા ઉંચા વાંસ લઈ આવ” તે તેવે વાંસ લઈ આવ્યે .
શેઠે કહ્યું કે: “જ્યારે હું કાંઈ પણ કાર્ય કરવાનું ન આપું, ત્યારે તારે આ વાંસ ઉપર ચઢવા ઉતરવાનું સતત કાર્ય કર્યા કરવું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org