________________
કથામંજરી
તે સાંભળીને હાલાહલ ઘરમાંથી નીકળ્યે અને તેણે પડહુ ખ્યું. તે જુગારીને રાજા પાસે લઇ જવામાં આવ્યા. તેણે રાજાને નમીને વિનંતી કરી કેઃ “મહારાજ! આપની ઈચ્છાનુસાર કાર્ય હું કરી આપીશ. પરંતુ મને હાલમાં અર્ધ લક્ષ દ્રવ્ય મલવું જોઇએ, બીજું કાર્ય પતી ગયા પછી આપજો. વળી મારા રક્ષણ માટે આઠ સિપાઈ આ મેાકલા કે જેથી હું નાશી શકું નહિ.” રાજાએ તે પ્રમાણે કર્યું.
२४
તે જુગારી દેવી પાસે ગયે; અને કાનમાં કહ્યું કે: જો તારી જીભ પાછી અંદર નહિ લઇ લે, તો પથરા વડે તારા કકડા કરી નાખીશ.” તે સાંભળીને દેવીને હિંમત પૂર્વક ખેલનાર આ જુગારીની બીક લાગી, તેથી તરત જ જીભ અંદર લઇને મૂળરૂપે તે રહી; એટલે ભયંકર ઉપદ્રવની બધાની શંકા દૂર થઇ ગઇ. રાજાએ બાકીનું દ્રવ્ય તેને આપ્યું.
કાઈ પણ કાર્ય કરતાં જરા પણ શંકા લાવવી નહિ. શંકા રાખીને કાર્ય કરવાથી કાર્યની સિદ્ધિ થતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org