________________
૨૩
એક જુગારીની કથા વિશ્વાસઘાતી, વેશ્યાએમાં આસક્ત અને વખત આવે ચારી પણ કરતો હતો.
એક દિવસ રાત્રે તે ગામમાં આવેલા વારવાસિની દેવીના મંદિરે તે ગયા. તેને બહુ જ ભૂખ લાગેલી હાવાથી, દેવી પાસે ધરેલા નૈવેદ્ય ખાઈ ગયા. પછી દેવીના ખભા તથા પગ વગેરે ઉપર રાખેલા ઉંચી જાતના નૈવેદ્યો પણ ખાવા લાગ્યા. આ પ્રમાણે કરવાથી દેવીને તેના ઉપર બહુ ક્રોધ ચઢયો, અને તેને બીવરાવવા માટે દેવીએ જીભ બહાર કાઢી.
હાલાહલ બુદ્ધિશાળી અને હિંમતવાન હતો; તેથી તેણે તરત જ પેાતાના મુખમાં ચવાતું નૈવેદ્ય દેવીની જીભ ઉપર મૂક્યું, એટલે દેવીને બહુ સૂગ ચઢી, તેથી જીભ એક હાથ લાંખી બહાર કાઢેલી તેણીએ રહેવા દીધી, અને પેાતાના સ્થાનકે ચાલી ગઈ.
સવારમાં લેાકેા એકઠા થયા, અને જીભ બહાર દેખી આશ્ચર્ય પામ્યા. રાજા પણ તે સાંભળીને ત્યાં જોવા આવ્યેા. અને મહા ઉત્પાત થશે' તેવી બીકથી તે બહુ ખેઃ પામ્યા. પછી તેના નિવારણ માટે રાજાએ બ્રાહ્મણેાને બેાલાવ્યા, યજ્ઞ આરંભ્યા, શાંતિકર્મ કરાવ્યા, ઘણાં દાન દીવા, જાપ કરાવ્યા. પણ દેવીની જીભ તો જેમની તેમ જ રહી. પછી રાજાએ નગરમાં પડતુ વગાડાવીને ઉદ્ઘોષણા કરાવી કે જે દેવીની આવી વિકૃતિ પામેલી જીભ પાછી સરખી કરશે તેને રાજા લક્ષ દ્રવ્ય આપશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org