________________
૨૧.
ક્ષત્રિય અને વાણીયાની કથા
બહેન! આજે તારા ઘરમાં આવી રઈ વગેરે કયાંથી?”
તેણીએ પતિના પરાક્રમથી પરાભવ પામેલ યશે આપવા કહેલા ધાન્યાદિકની વાત કહી. વાણીયાની સ્ત્રીએ વિચાર્યું કે “આ ઉપાય સારો છે.” પછી ઘેર જઈને તેણે પતિને કહ્યું કે તમે પણ પાડોશી રજપુતની માફક સાહસ કરો.” તેમ કહીને બધી હકીકત કહી.
એટલે સિંદુરક પણ કુહાડે લઈને યક્ષની પ્રતિમા પાસે ગયે. પણ પ્રતિમા જોતાં જ તેના હૃદયમાં શંકા ઉત્પન્ન થઈ, તેથી ભયભીત થયા પછી જેવું તે રજપુતે કર્યું હતું તે પ્રમાણે કરવા ગયે કે તરત જ યક્ષે તેને બાંધી લીધે. એટલે બહુ બૂમ પાડતો તે યક્ષને કહેવા લાગ્યું કે “મને છોડી દે! છોડી દે !”
યક્ષે કહ્યું કે “આવતીકાલે જે ઘઉંને કોઠાર મારે તારા પાડોશી રજપુતને આપવાનું છે તે તું આપે તે - છોડું.” વાણીયાએ તે કબુલ કર્યું અને છૂટો થયે. ઘેર જઈ દેવું કરીને તેણે રજપુતને ઘઉં આપ્યા.
મનમાં શંકા રાખીને કાર્ય કરવાથી કોઈ પણ કાર્યની સિદ્ધિ થતી નથી. તેથી દરેક કાર્ય કોઈ પણ જાતની શંકા રાખ્યા વગર જ કરવાથી સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org