________________
ચાર મિત્રની કથા
૫૯ પહેલા પહેરે શેઠને પુત્ર જાગતે બેઠે; બીજા બધા સૂઈ ગયા. તે વખતે ઝાડ ઉપરથી અવાજ આવ્યું કે
હું ધન છું, પરંતુ અનર્થથી વીંટાયેલ છે. તારી ઈચ્છા હોય તે ઝાડ ઉપર ચડીને લઈ જા.” અનર્થની બીકથી શેઠના પુત્રે નિર્ણય કર્યો કેઃ “મારે તે ધન જોઈતું નથી, માટે લેવા જઈશ નહિ.” બીજા પહેરે પુરોહિતના પુત્ર અને ત્રીજા પહેરે મંત્રીના પુત્રે પણ તે પ્રમાણે જ વિચાર્યું.
ચોથા પહેરે રાજાનો પુત્ર એકલે જાગતું હતું બીજા બધા સૂતેલા હતા. તેણે પણ તે જ પ્રમાણે અવાજ સાંભળ્યો. તે સત્વવાન હતો. તેણે વિચાર્યું કેઃ “સ-ત્વવાન પુરુષોને જ દ્રવ્યની પ્રાપ્તિ થાય છે; બીકણુને દ્રવ્યની પ્રાપ્તિ થતી નથી. શસ્ત્રોથી છેદાય છે ત્યારે જ કાનને સોનાના અલંકારો પહેરવાના મળે છે; બાકી આંખને તો કાળું કાજળ જ આંજવામાં આવે છે.'
આ પ્રમાણે વિચારીને તે છે કે તારી ઈચ્છા હોય તે તારી જાતે જ પડ.” એટલે તરત જ એક સુવર્ણપુરુષ ઝાડ ઉપરથી નીચે પડ્યો. તે સોનાના તેજથી દેદીપ્યમાન લાગતો હતો. સવાર થઈ. રાતની હકીકત એક બીજાને કહી સુવર્ણપુરુષને એક જગ્યાએ દાટી દઈને તેઓ આગળ ચાલ્યા. તેઓ એક ગામ પાસે આવ્યા, એટલે બપોરના વખતે તેમાંથી બે જણ આહાશદિ લાવવા ગામમાં ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org