________________
મૂર્ખ શિષ્યની કથા
ર૫૩ “અરે! આ છોકરાને તે ભણાવે કે નહિ?, તે પાઠ શીખ્યો કે નહિ?”
મોટા છોકરાએ કહ્યું કે “પિતાજી તે મારું વચન માનતું નથી, તેથી ભણવા બેલાવું છું ત્યારે નાશીને બીજે ચાલ્યા જાય છે.”
તે સાંભળીને તે વૈદ્યને બહુ જ ક્રોધ ચઢ્યો, તેથી તેને ઘણા વખત સુધી તમાચા વગેરે મારીને કહ્યું કેઃ અરે! હવે સાંભળે છે કે નહિ.”
આ પ્રમાણે વારંવાર વૈદ્યને તેના પુત્રને કહે સાંભળીને બહાર ઊભેલા તાપસના શિષ્ય “બહેરાપણું મટાડવાને ઉપાય આવી રીતે માર મારે તે છે એવો નિર્ણય કરીને પોતાના મઠમાં જઈ ગુરુને હાથવતી પકડીને જમીન ઉપર પછાડ્યા, અને ઘણી સખત થપાટ વગેરે મારીને પૂછ્યું કે “કેમ હજુ પણ સાંભળે છે કે નહિ?”
લેક શિષ્યને મારતે દેખીને ભેગા થઈ ગયા, અને તેમ કરવાનું કારણ પૂછયું. તેણે કહ્યું કે “બહેરાપણું મટાડવાને આ જ ઉપાય છે?” '
લેકેએ પૂછયું કેઃ “આ ઉપાય તને કોણે બતાવ્યું છે?
તેણે કહ્યું કે “અમુક વૈધે બતાવ્યું છે.”
લેકે વૈદ્ય પાસે ગયા, અને પૂછયું તે તેની વાતમાં કાંઈ પણ સારો દેખાય નહિ; તેથી બહુ જોરથી મારતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org